Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ભાવનગર થી બે ગાયો ભરી નાસિક લઈ જતા બે ઝડપાયા ,અધિકૃત અધિકારીની કોઈ પરવાનગી ન હતી 

ધરમપુર પોલીસે આંબા તલાટ હનુમંતમાળ રોડ ઉપર થી પિકઅપ માં કોઈ પણ અધિકૃત આધિકારી ની પાસ પરમીટ વિના ગાયો ને ઘસચારો વિના ક્રૂરતા પૂર્વક બાંધી ભાવનગર થી નાસિક લઈ જતા બે ઈસમો ઝડપાયા  પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ પેટ્રોલિંગમાં હતા ત્યારે એક પીકઅપ નંબર એમ એચ 15 – એચ એચ 6002 માં બે ગાયો જેની … Read more

ધરમપુર પોલીસે માલનપાડા થી ગેરકાયદે  રૂપિયા 36,400 નો નવસારનો જથ્થો લઈ જતા નાનાપોઢાના રાજસ્થાનીને ઝડપી લીધો

ધરમપુર પોલીસ ને મળેલી પૂર્વ બાતમીને આધારે છોટા હાથી ટેમ્પોમાં પ્લાસ્ટિકના થયેલા માં 130 બોક્ષમાં નવસાર ની હેરાફેરી થતી હોવની બાતમી મળી હતી જે આધારે પોલીસે વોચ હોઠવતા માલન પાડા પેટ્રોલ પમ્પ નજીક છોટાહાથી ભરી ને માલનપાડા ખાતે ડિલિવરી કરવા જતાં રાજસ્થાનીને ઝડપી લીધો છે  પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માલન પાડા ખાતે ધરમપુર પોલીસના ચેતન … Read more

૧૦૮ એમન્યુલન્સ ફરી બની દેવદૂત 

બાળકના ગળામાં નાળ વિટાઇ ગઇ ૧૦૮ ના કર્મીઓએ દૂર કરી માતા બાળકને નવજીવન આપ્યું 108 માં પ્રસુતિ કરાવાઈ તારીખ -૧૭/૦૧/૨૦૨૪ નાં રોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અરનાઈ ગામમાં માની ફળિયા માં રહેતા રમેશભાઇ ની  પુત્રી લલીતાબેન સુરેશભાઈ કોંતી ને ડિલિવરીનો ખુબજ દુઃખાવો થતાં ૧૦૮ માં કોલ કર્યો હતો.આ કોલ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટા પોંધાની … Read more

ઘરે થી પૈસા લેવાં જવાનું કહી ને નીકળેલી યુવતીની લાશ વેલવાચ ખાતે સળગાવેલી હાલત માં મળતા ચકચાર

પારડી તાલુકાના લખમાં પોર ગામની યુવતી રાત્રે પૈસા લેવા જાઉં છું કહી ને ઘરે થી નીકળ્યા બાદ પરત ન થતા પરિવારજનો એ શોધખોળ કરી પરંતુ તે મળી નહિ અને આજે લાશ મળતા પરિવારજનોમાં શોકની લાગણી વલસાડ તાલુકાના વેલવાચ ગામે પાણીની ટાંકી નજીક કોઈ યુવતીની અર્ધ બળેલી હાલત માં લાશ પડી હોવાની જાણકારી સ્થાનિકોએ વહેલી સવારે … Read more

3000 જેટલા યુવાનોના સથવારે યુવા-રેલી અને યુવા-સંમેલનના સથવારે ધરમપુરમાં સ્વામી વિવેકનંદજીની 162મી જન્મજયંતી રંગેચંગે ઉજવાઇ

આજના જમાનાના યુવાનોના એકમાત્ર આદર્શ સ્વામી વિવેકનંદજી જ છે : વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.  કરનરાજ વાઘેલાજી શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ  ધરમપુરના ઉપક્રમે વિશ્વઆચાર્ય સ્વામી વિવેકાનંદજીની ૧૬૨મી જન્મજયતી યુવા-રેલી અને યુવા-સંમેલનના સથવારે ઉજવાઇ હતી જેમાં નગરની અને તાલુકાની ૨૦થી વધુ  શાળા અને કોલેજના ૩૦૦૦ થી વધુ વિધ્યાર્થીમિત્રો  એબીવીપીના કાર્યકર્તાઓ, શિક્ષકો, પ્રાધ્યાપકો, કેળવણીકારો અને … Read more

કપરાડાના બાલચોંડી ગામે ” શ્રીમદ્ શિવ ભાગવત કથા ’’નો આજ થી થયો ભવ્ય પ્રારંભ 

પોથી યાત્રા શ્રી ભવાની માતા મંદિર બાલચોંડીથી નીકળી કથા સ્થળે પહોંચી દિપ પ્રાગટ્ય પરમ પૂજ્ય મહંત સ્વામી શ્રી કૈલાશપુરીજી મહારાજ (ચાંદોદ) ના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોને તેમને જણાવ્યું શિવ ભાગવત કથામાં દરોજ આવી અમૂલ્ય લાભ લેશો ભૂવનેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શ્રીમદ્ શિવ ભાગવત કથા ’’ નુ છોટે મોરારી બાપુ … Read more

શ્રી કચ્છી ભાનુશાલી ટ્રસ્ટ મિત્ર મંડળ પ્રેરિત અને ભાનુ ચેમ્પસની ટીમ દ્વારા વિશેષ આયોજન ઉત્તરાયણ પર્વે

બે દિવસીય વિશેષ આયોજન થશે જેમાં  સાંઈરામ દવેનો હાસ્ય દરબાર અને દાંડિયા કિંગ “નૈતિક નાગડાના સંગાથે તારીખ: ૧૨/૦૧/૨૦૨૪ અને १३/०१/२०२४ ના સાંજના ૭.૩૦ વાગ્યે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે.  આ આયોજનનો ઉદ્દેશ આપણા આજુબાજુના સમુદાયોમાં જરૂરિયાતમંદ લોકોને આરોગ્યલક્ષી સેવાઓમાં મદદ, બાળ કન્યા શિક્ષણને ટેકો આપવો અને ફૂડ ફેસ્ટીવલ દ્વારા સ્ટોલ ધારકોને આત્મનિર્ભર અને … Read more

ધરમપુરના અંતરીયાળ વિસ્તારના જામલીયા ગામમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ સાથે આયોજિત રક્તદાન કેમ્પમાં 36 યુનિટ રક્ત એકત્રિત થયું. 

5000 કરતા વધુ લોકોએ વ્યસન મુક્તિ નો સંકલ્પ લીધો પં.પુ.શ્રી શેષરાવ મહારાજન ઉત્તરાધિકારી શ્રી સંતોષ મહારાજના જાહેર વ્યસન મુક્તિના  કાર્યક્રમ અન્વયે જામલીયા ગામ તથા આજુબાજુના ગામના યુવા મિત્રો, પાર્થ ટ્રેડર્સ વાપી,સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, મુંબઈ તથા રેન્બો વોરિયર્સ, ધરમપુર દ્વારા વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી સેવા- ભક્તિના સમન્વય સાથે જામલીયા ગામમાં આયોજિત કેમ્પમાં જામલીયા તેમજ જાહેર … Read more

કપરાડા માંડવા ગામના આદિવાસી અગ્રણી બચુ ભગરિયા નું નિધન થતા શોકની લાગણી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામના આદિવાસી સમાજના હિતચિંતક, શુભેચ્છક તેમજ આદિવાસી સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિ એવા બચુભાઈ ભગરિયાનું વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રકૃતિ વિલીન થયેલ થયા છે. આજ રોજ તા.૭/૧/૨૦૨૪ ના રવિવારે વહેલી સવારે અંદાજે ૩.૪૫ કલાકે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રકૃતિ વિલીન નિધન થતાં સમગ્ર વલસાડ જિલ્લામાં અને આદિવાસી વિસ્તાર શોકમય બની ગયો

કુકણા સમાજ ભવન ખાતે સંગઠનની વિવિધ કામગીરી માટે બનાવવામાં આવેલ સમિતિના લીડરો સાથે મિટિંગ યોજાઈ

આદિવાસી કોકણા,કોકણી,કુકણા,કુનબી(ડાંગ) સમાજ ગુજરાત રાજયની તા.૩૧/૧૨/૨૦૨૩ નાંરોજ કુકણા સમાજ ભવન ખાતે સંગઠનની વિવિધ કામગીરી માટે બનાવવામાં આવેલ સમિતિના લીડરો સાથે જન–જાગૃતિની મિટિંગ રાખવામાં આવેલ. કુંકણા સમાજ ભવન ખાતે તા.૩૧/૧૨/૨૦૨૩નાં રોજ દ.ગુજરાતના વ્યારા,નવસારી,ડાંગ,સુરત અને વલસાડ જિલ્લાના કુકણા,કોકણી,સમાજના સંગઠનમાં સમાજની વિવિધ સમસ્યાઓ,શૈક્ષણિક જાગૃતિ,સામાજીક અને સંસ્કૃતિ માટે અને સ્વ–રોજગાર(સ્વાવલંબન) માટે તમામ તાલુકાના પ્રતિનિધિ મંડળના પ્રમુખ–મંત્રી તેમજ દરેક સમિતિ … Read more

error: Content is protected !!