Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુરના રાજપુરી તલાટ ગામે આદિવાસી સમાજના વૃદ્ધનું ઘર ધરાશાય 

85 થી 80 વર્ષના વૃદ્ધનું ઘર તૂટી પડતા સ્થાનિકો એ મદદે આવ્યા હાલ તડપત્રી મૂકી વરસાદ થી બચવા વૈકપિક રસ્તો કરાયો  છેલ્લા ચાર દિવસથી વલસાડ જિલ્લામાં હવામાન વિભાગે રેર એલર્ટ આપ્યું છે જેના કારણે અનેક જગ્યાઓ પર ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે ધરમપુર તાલુકાના રાજપુરી તલાટ ગામે વધુ વરસાદને પગલે એક વૃદ્ધનું ઘર ધરાય … Read more

કપરાડા કુંભઘાટમાં બગડેલા રસ્તાનું સમારકામ શરૂ પેવર બ્લોક નાખી ખાડા પુરાઈ રહ્યા છે 

નાસિક કપરાડા નાનાપોઢા માર્ગ શાકભાજીના વેપારી અને રોજિંદા આવતા જતા વાહન ચાલકો માટે ખૂબ ઉપયોગી છે ત્યારે વરસાદ શરૂ થતા જ કપરાડાના કુંભઘાટના રોડ ઉપર ખાડા પડી ગયા માર્ગ ધોવાઈ ગયો જોકે જગ્યા જગ્યા ઉપર પડેલ ખાડાને દુરસ્ત કરવા માટે હાલ વહીવટી તંત્ર દ્વારા ખાડામાં પેવર બ્લોક મૂકીને સમારકામ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે  … Read more

ધરમપુર મામલતદાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અનેક સ્થળે આકસ્મિક તપાસ હાથ ધરતા ફફડાટ

ચોમાસા દરમ્યાન પાણી જન્ય રોગો ન વકરે અને રેસ્ટોરન્ટ અને હોટલોમાં વધુમાં વધુ સંચાલકો સ્વચ્છતા પર ભાર આપે એવા હેતુ સર આજે ધરમપુરના 5 થી વધુ ફરસાણ હોટેલ અને નાસ્તાની દુકાનો પર આકસ્મિક તપાસ કરતા ગંદકી તેમજ એક્સપયર ડેટ ના ઠંડા પીણાં મળી આવ્યા હતા તમામ દુકાનદારો હોટલ સંચાલકોને સ્વચ્છતાના નિયમો ચોક્કસ પણે જાળવી ને … Read more

મોટાપોંઢા કૉલેજમાં જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કૃત કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતીની ઉજવાઈ

વલસાડ તા. ૨૧ જુલાઈ  ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે આવેલી શ્રી મુમ્બાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી સુગનીબાઈ આર. ચમારીયા કોમર્સ કૉલેજ સંયુક્ત ઉપક્રમે શ્રી ઉમાશંકર જોશીની જન્મ જયંતીની ઉજવણી થઈ હતી. ગાંધીનગર સ્થિત ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહા તથા મહામાત્ર ડૉ.જયેન્દ્રસિંહ જાડેજાના સહકારથી મોટાપોંઢા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય પ્રા.ડૉ.એસ.યુ.પટેલે સંયોજક … Read more

આર્મ્સ એકટના ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી તથા પારડી પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુન્હામાં ૧ વર્ષથી નાસતા ફરતા બે આરોપીને ઝડપી પડતી એસ ઓ જી.

વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદિપસિંહ ઝાલા સાહેબશ્રી નાઓએ વલસાડ જિલ્લાના એ.ટી.એસ.ચાર્ટર મુજબના ગુનામા તેમજ વલસાડ જિલ્લા ગેઝેટવાળા નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓ પકડવા આપેલ સુચના આધારે પોલીસ ઈન્સ્પેકટરશ્રી જે.એન.ગોસ્વામી SOG વલસાડ(કેમ્પ-વાપી) નાઓના માર્ગદર્શન હેઠળ S.O.G શાખાના પો.સ.ઇ શ્રી એન.સી.સગર તથા સ્ટાફના માણસો નાસતા ફરતા/ વોન્ટેડ આરોપીને પકડવા પ્રયત્નશીલ હતા દરમ્યાન એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇને મળેલ બાતમી આધારે વાપી … Read more

કપરાડા તાલુકાના ખડકવાળ મુકામે રક્તદાન કેમ્પ તથા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. 37 યુનિટ રક્તદાન ભેગુ કરવામાં આવ્યું. 

કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખડકવાળ મુકામે ખડકવાડ પ્રાથમિક શાળામાં પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, રોટરી ક્લબ ઓફ વાપી રિવર સાઈડ , RAINBOW WARRIORS DHARAMPUR  તથા પ્રાથમિક શાળા ખડકવાડના સંયુક્ત ઉપક્રમે આયોજિત રક્તદાન કેમ્પમાં 37 યુનિટ રક્તદાન ભેગુ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ જાગૃતિ માટે રક્તદાતાઓને આંબા કલમની ભેટ આપવામાં આવી. કાર્યક્રમનું  ઉદઘાટન … Read more

મોરારી બાપુની ઐતિહાસિક જ્યોતિર્લીંગ રામ કથા ટ્રેન યાત્રા પવિત્ર શ્રાવણ મહિનામાં

નવી દિલ્હી (ભારત),15 જુલાઈ 2023: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામાયણના પ્રવક્તા પૂજ્ય મોરારી બાપુ પવિત્ર શ્રાવણ મહિનામાં અસાધારણ આધ્યાત્મિક મહિમાની એક યાત્રામાં જઈ રહ્યાં છે.  22મી જુલાઈ 2023 થી 08મી ઓગસ્ટ 2023 સુધી, મોરારી બાપુ 12 જ્યોતિર્લિંગ મંદિરોમાં રામ કથા પર તેમના જ્ઞાનપ્રદ પ્રવચનોથી ભક્તોને મંત્રમુગ્ધ કરશે. યાત્રા દરમિયાન યાત્રા 3 પવિત્ર ધામો અને તિરુપતિ … Read more

વલસાડ ઓઝર સ્કૂલમાં નોટબુક વિતરણ કરાયું

વલસાડ તાલુકાના ઓઝર ગામે ખાડી ફળિયામાં આવેલી પ્રાથમિક શાળાના 19 જેટલા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું જરૂરિયાતમંદ બાળકો શિક્ષણ પ્રત્યે વધુ પ્રેરાય અને શિક્ષણ મેળવી આગળ વધે તેવા ઉમદા હેતુ સાથે અતુલ કંપનીના જનરલ મેનેજર અને અનાવિલ સમાજના ઉપપ્રમુખ ગૌતમભાઈ દેસાઈ તેમજ વલસાડ ભાજપ શહેરના ઉપ પ્રમુખની હાજરી માં ધોરણ 1 થી 5 માં … Read more

કલામંદિર જ્વેલર્સે 22KT સોના અને એન્ટિક જ્વેલરીના મેકિંગ ચાર્જ પર ફ્લેટ 50%ની છૂટ લોન્ચ કરી

સુરત: સુરત, વાપી, ભરૂચ અને કોસંબામાં શોરૂમ ધરાવતી અગ્રણી જ્વેલરી રિટેલર કલામંદિર જ્વેલર્સે  22KT સોનાના તમામ દાગીના અને એન્ટિક જ્વેલરીના ચાર્જીસ પર ફ્લેટ 50% ડિસ્કાઉન્ટની આકર્ષક ઓફર લોન્ચ કરી છે. સુવર્ણ મહોત્સવ હેઠળ મર્યાદિત સમયની આ ડિસ્કાઉન્ટ ઓફર 10 જુલાઈથી 31 ઓગસ્ટ સુધી કલામંદિર જ્વેલર્સ સ્ટોર્સ પર ઉપલબ્ધ રહેશે. મેકિંગ ચાર્જીસ પર 50% ડિસ્કાઉન્ટની આ … Read more

ગ્લોબલ કોલાયન્સને સુરતમાં ટાઇમ્સ બિઝનેસ એવોર્ડ 2023થી સન્માનિત કરાયું

સુરત (ગુજરાત) [ભારત], 11 જુલાઈ: વિદેશમાં અભ્યાસ માટે જાણીતી કન્સલ્ટન્સી ગ્લોબલ કોલાયન્સને વિદેશમાં શિક્ષણ અને ઈમિગ્રેશન સેવાઓમાં ઉત્કૃષ્ટતા બદલ પ્રતિષ્ઠિત ટાઈમ્સ બિઝનેસ એવોર્ડ 2023થી સન્માનિત કરવામાં આવી છે. તાજેતરમાં સુરતમાં અવધ ઉટોપિયા ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં શહેરના ટોચના ઉદ્યોગો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આ એવોર્ડ એનાયત કરાયો હતો. એક સ્વતંત્ર સંશોધન એજન્સી દ્વારા સુઆયોજિત સંશોધન … Read more

error: Content is protected !!