
વલસાડ તાલુકાના ઓઝર ગામે ખાડી ફળિયામાં આવેલી પ્રાથમિક શાળાના 19 જેટલા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું જરૂરિયાતમંદ બાળકો શિક્ષણ પ્રત્યે વધુ પ્રેરાય અને શિક્ષણ મેળવી આગળ વધે તેવા ઉમદા હેતુ સાથે અતુલ કંપનીના જનરલ મેનેજર અને અનાવિલ સમાજના ઉપપ્રમુખ ગૌતમભાઈ દેસાઈ તેમજ વલસાડ ભાજપ શહેરના ઉપ પ્રમુખની હાજરી માં ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા ભૂલકાઓ માટે નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અતુલ કંપનીના જનરલ મેનેજર ગૌતમભાઈ દેસાઈએ જણાવ્યું કે અંતરિયાળ વિસ્તારમાં જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ મળે અને તેઓ નોટબુક અને અન્ય સાહિત્યના અભાવે આગળ ન વધી શકતા હોય તેવા તમામ બાળકોને મદદરૂપ થઈ તેઓ પૂરતું શિક્ષણ મેળવી પગભર બને એવા ઉમદા હેતુથી દર વર્ષે નોટબુક વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવે છે જે અંતર્ગત આજે પણ ઓજાર ખાતે પ્રાથમિક સ્કૂલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ ના પતિ ચંપકભાઈ પટેલ તેમજ સચિનભાઈ વિજયભાઈ પટેલ દિલીપભાઈ ફલધરા (હોસ્ટેલ) તમામ વિદ્યાર્થીઓના વાલીઓ હાજરી આપી હતી





