Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ વિવિધ વેક્સિનેશન સેન્ટરોની મુલાકાત લીધી

On: November 30, 2021 1:19 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભરૂચઃ  જિલ્લામાં કોવિડ-૧૯ થી બચવા કોરોના રોગપ્રતિકારક રસીકરણ અભિયાન ખુબ જ સુંદર
અને સુચારૂં રીતે ચાલી રહ્યું છે. ગઈકાલે તા.૨૯-૧૧-૨૦૨૧ નાં રોજ અંકલેશ્વર શહેરના
૧૨૧ જેટલાં સેન્ટરો પર રાત્રે ૦૮:૦૦ વાગ્યા સુધીમાં ૩૨૧૩૬ વ્યક્તિઓનું રસીકરણ
કરવામાં આવ્યું હતું. આ અભિયાનને ખુબ જ સુંદર પ્રતિસાદ મળ્યો છે.


આજરોજ ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના ૩૦ જેટલા સ્થળોએ
મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં
આવ્યું
હતું. આ વેળાએ જિલ્લા કલેક્ટર તુષારભાઈ
સુમેરાએ વિવિધ વેક્સિનેશન સેન્ટરોને મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ વેક્સિનેશન
કરતાં સ્ટાફ સાથે અને વેક્સિન લેનાર લાભાર્થીઓ સાથે વાતચીત કરી વેક્સિન લેવા માટે
લોકોને પ્રોત્સાહિત કર્યા હતા અને વેક્સિન લેવા સૌ કોઈ આગળ આવે તે માટેની સમજણ પણ
આપી હતી. આ મુલાકાત વેળાએ નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા, ચીફ ઓફિસર સંજયભાઈ સોની, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા સહિત આરોગ્ય વિભાગના
કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
   


આ મેગા વેક્સિનેસન ડ્રાઈવમાં વેક્સિનનો પ્રથમ તેમજ બીજો ડોઝ લેનારને “યુવા
અનસ્ટોપેબલ” સંસ્થાના સૌજન્યથી વિનામૂલ્યે એક લીટર ખાદ્યતેલનું વિતરણ કરવામાં
આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા ધ્વારા યોજાયેલા મેગા વેક્સિનેશન કેમ્પના દરેક
સેન્ટરો ઉપર વેક્સીન મુકાવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી.
ભરૂચ ખાતેના ૩૦ જેટલા સેન્ટરો પર
બપોરે ૦
:૦૦ કલાક સુધીમાં ૬૧૨૯ વ્યક્તિઓનું  રસીકરણ કરવામાં આવ્યું છે. હજુ
પણ વેક્સિનેશનની કામગીરી ચાલુ છે
.


ભરૂચ જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓને રસીકરણનો લાભ આપી કોરોના વાઈરસના
સંક્રમણથી બચાવવા કોવિડ-૧૯ રસીકરણનો પ્રચાર-પ્રસાર, ગૃહ મુલાકાત થકી લોકોમાં
રસીકરણ પ્રત્યે જનજાગૃતિ કેળવી કામગીરી વધારવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં
આવી રહ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરાએ જણાવ્યુ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!