Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જામનગર શહેરમાં શનિવારે કોરોના વિસ્ફોટની સાથે મ્યુકોરમાઈસિસના દર્દી માટે પણ માઠા સમાચાર

On: October 31, 2021 10:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 31 ઓક્ટોબર 2021 રવિવાર

જામનગરના શહેરી વિસ્તારમાં શનિવારે સાંજે કોરોના વિસ્ફોટ થયો હતો, અને એક ખાનગી તબીબ પરિવારના પાંચ સભ્યો ના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હોવાથી ફફડાટ મચી ગયો છે, જેની સાથે સાથે શનિવારે સાંજે મ્યુકોર્માઇકોસિસ ની બીમારી ના વધુ એક દર્દીનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે. જેથી શહેરમાં લોકોએ ખૂબ જ સાવધ રહેવું જરૂરી છે. જોકે મૃતક મહિલા બી.પી.- ડાયાબિટીસ સહિતની અન્ય બીમારીઓથી પીડાતા હતા. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અત્યાર સુધીમાં સાડા નવ લાખ થી વધુ કોવિડ ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે.

જામનગર જિલ્લામાં કોરોના શાંત પડયા પછી શનિવારે એકાએક કોરોના વિસ્ફોટ થયો હતો, અને એક ખાનગી તબીબ ના પરિવારની પાંચ વ્યક્તિ કોરોના ગ્રસ્ત બની હોવાના રિપોર્ટ મળ્યા હતા. જે પૈકી તબીબ ના પિતા જી.જી.હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં સારવાર મેળવી રહ્યા છે, અને હાલ એક માત્ર દર્દી કોરોના ની સારવાર હેઠળ છે. પરંતુ એક જ પરિવારના સભ્યોના કોરોનાગ્રસ્ત બન્યા ના રિપોર્ટ મળતાં જામનગર શહેરમાં ડરનો માહોલ ઉભો થયો છે, અને લોકોએ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.

ઉપરાંત મ્યુકોર્માઇકોસિસ ની બીમારી ના દર્દી માટે પણ માઠા સમાચાર આવ્યા છે. જામનગર શહેરના વતની એવા 56 વર્ષીય મહિલા કે જેઓને આજથી એક સપ્તાહ પહેલા મ્યુકોર્માઇકોસિસ ની બીમારી ની સારવાર માટે જી.જી. હોસ્પિટલ ના ઇ.એન્ડ.ટી. વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેઓનું ગઈકાલે સાંજે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

જેઓ બી.પી. ડાયાબિટીસ સહિતની અન્ય બીમારીઓથી પણ પીડાતા હતા, અને તે બીમારીના કારણે વધુ પડતી તબિયત લથડી હતી. દરમિયાન ગઈકાલે તેઓએ દમ તોડયો છે. હાલ ઇ.એન્ડ.ટી. વિભાગમાં મ્યુકોર્માઇકોસિસના એક મહિલા તથા એક પુરુષ સહિત બે દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે..

જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 5,52,855 કોવિડ ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે. તે જ રીતે જામનગર જિલ્લા પંચાયત ની આરોગ્ય શાખા દ્વારા 4,03,810 કોવિડ ટેસ્ટ કરાયા છે, અને સમગ્ર જિલ્લામાં કુલ 9,56,665 કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!