લાલપુરમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડાથી દોડધામ

On: October 31, 2021 10:45 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 31 ઓક્ટોબર 2021 રવિવાર

જામનગર જિલ્લાના લાલપુરમાં એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર ગઇકાલે મોડી સાંજે પોલીસે દરોડો પાડતાં નાસભાગ થઈ હતી, અને બે જુગારીયા શખ્સો પોલીસને જોઇને મેડી પરથી છલાંગ લગાવી ભાગવા જતાં એકનો પગ ભાંગ્યો છે, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. જેના પગમાં પ્લાસ્ટર આવ્યું છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર રહેતા પિન્ટુભાઈ ચંદુભાઇ નંદાસણાં નામના શખ્સના રહેણાંક મકાનમાં બહાર ગામના લોકોને એકત્ર કરીને જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે, તે ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે સાંજે લાલપુર પોલીસે દરોડો પાડ્યો હતો.

જે દરોડા દરમિયાન પ્રથમ માળે જુગારીયા તત્વો એકત્ર થઇને ગંજીપાનાનો જુગાર રમી રહ્યા હતા. પોલીસની એન્ટ્રી જોઈને તેઓમાં ભારે નાસભાગ થઈ હતી, અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામના વતની કેસુરભાઈ ધીરાભાઈ બેરા અને ભાણવડના મોરજર ગામના છગનભાઈ નામના બે શખ્સો પ્રથમ માળ ની મેડી પરથી છલાંગ લગાવીને ભાગવાનો પ્રયત્ન કરતા હતા.

જે દરમિયાન કેસુરભાઈએ ઝંપલાવ્યા પછી તેનો પગ ભાંગ્યો હતો. જેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને તેના પગમાં પ્લાસ્ટર આવેલું છે. જોકે તેને ખંભાળિયાની હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત ભાણવડ તાલુકાના મોરજર ગામ નો છગનભાઈ નામનો એક શખ્સ છલાંગ લગાવીને ભાગી છૂટવામાં સફળ થયો હતો. જેને આ દરોડામાં પોલીસે ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

પોલીસે મકાનમાલિક પિન્ટુભાઈ ચંદુભાઇ નંદાસણાં, આ ઉપરાંત કમલેશ દેવાણદ ભાઈ નંદાસના, ભરતભાઈ વેજાભાઇ કરંગીયા, અને મગનભાઈ છગનભાઈ ઓડેદરા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 47,220ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!