
વાપીના મહિલા સામાજિક કાર્યકર અને વાપી પાલિકાના વોર્ડ સભ્ય રહી ચૂકેલા મંજુલા બેન દાયમાંજીની 15 મી પુણ્યતિથિનિમિતે રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું છેલ્લા 15 વર્ષ થી તેમની યાદમાં રક્તદાન શિબિર યોજાય છે.સ્વ.મંજુલાબેન દાયમાંજી કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડતા લડતા ઈશ્વર શરણ થયા હતા તેમના અંતિમ સમય દરમ્યાન તેમને પણ પ્લેટલેટ વાળા બ્લડની જરૂરિયાત ઉભી થઇ હતી જે મેળવવા માટે તે સમયે અનેક લોકોનો સહયોગ મળ્યો પણ ક્યારેક એવું પણ બન્યું કે તેમને સમય ઉપર બ્લડ નોહોતુ મળી શક્યું જેને કારણે તેમના સ્વર્ગવાસ બાદ તેમના પરિવાર જનોએ નક્કી કર્યું હતું કે તેમને જે મુશ્કેલી બ્લડ મેળવવા માટે પડી છે એ અન્ય કોઈને ન પડે એવા ઉમદા હેતુ થી છેલ્લા 15 વર્ષથી રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ અને વિવિધ બ્લડ બેંકના સહયોગથી આજે શિબિર યોજાઈ

સ્વ.મંજુબેન દાયમજીના પુત્રી પ્રિયાએ જણાવ્યું કે મમ્મીના સારવાર સમયે જે રીતે બ્લડની જરૂર ઉભી થઇ હતી ને મેળવવા માટે જે મુશ્કેલી પડી હતી તે જોતા અન્ય લોકોને બ્લડની અછત ન પડે અને સમયસર બ્લડ મળી રહે એવા હેતુથી આજે બ્લડ કેમ્પનું આયોજન સવારે 9 વાગ્યા થી રાજસ્થાન ભવનમાં કરવામાં આવ્યું છે
કાર્યક્રમ દરમ્યાન રાજસ્થાન પ્રગતિ મંડળના પ્રમુખ કનૈયા લાલ અગ્રવાલ,સચિવ લક્ષ્મણ પુરોહિત શિબિર સંયોજક વિજય સરાફ, વાપી ભાજપ શહેર પ્રમુખ સતીશ પટેલ,વી આઈ એ પ્રમુખ કમલેશભાઈ પટેલ,સહિત મંજુબેન દાયમાં પરિવારના સભ્યો તેમના શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે 500 બોટલ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જેમાં બપોર સુધીમાં 160 બોટલ રક્ત એકત્ર કરવામાં સફળતા મળી હતી
રક્તદાન કરનાર રક્તદાતાઓને સર્ટિફિકેટ અને પ્રોત્સાહન ગિફ્ટ પણ એનાયત કરવામાં આવ્યા હતા






