
ધરમપુર કપરાડા વિસ્તારના સોસીયલ મીડિયામાં સંત આશારામ બાપુના સાધકોને અપીલ કરતી એક પત્રિકા ફરતી થઈ છે જો આશારામ બાપુ અને નારાયણ સાઈ ને કારાગારમાંથી મુક્ત નહિ કરે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે જે પત્રિકા હાલ પારડી કપરાડા ધરમપુર ના સાધકોમાં આંતરિક રીતે ફરતી થતા ચકચાર મચી ગઇ છે

ચૂંટણી નજીક આવતા દરેક વિભાગ વિવિધ માંગો ને લઈને આંદોલન કરી પોતાની માંગ પૂર્ણ કરવા માંગ કરી રહ્યા છે તો કેટલાક ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક સમય થી આશારામ બાપુ અને નરાયણ સાઈ જેલ માં છે જેને બહાર લાવવા માટે તેમના સાધકોમાં માંગ ઉઠી હોય એવી કથિત પેપ્લેટ સોસીયલ મીડિયામાં ફરતી થઈ છે જોકે આ પત્રિકા કોણે વાઇરલ કરી એ તપાસનો વિષય છે વળી આ કોઈ સાધક દ્વારા વાઇરલ કરાઈ કે કેમ તે પણ હજુ સુધી ચોક્કસ કહી શકાય એમ નથી પરંતુ પત્રિકા વાઇરલ થતા એક વાત સ્પષ્ટ થઈ છે કે આશારામ ભક્તો અને સાધકો માં બાપુને જેલ માંથી છોડાવવા માટે ચૂંટણી પૂર્વે સોસીયલ મીડિયા થકી કોઈ મુહિમ ચાલી રહી છે જે ચૂંટણીમાં મતદાન ઉપર અસર કરી શકે એમ છે
હવે આ પત્રિકામાં કેટલી સચ્ચાઈ છે એ તો પોલીસ તપાસ કરશે તો બહાર આવે એમ છે બાકી આશારામ બાપુના સાધકોની સંખ્યા સમગ્ર ગુજરાતમાં ખૂબ મોટા પાયે છે ત્યારે ચૂંટણી ટાણે જ બહિષ્કાર કરવા અંગે ની પત્રિકા ફરતી થતા હાલ તો ચકચાર મચી ગઇ છે
(નોંધ :-ખબરદાર વેબ પત્રિકા અંગે કોઈ પુષ્ટિ કરતું નથી વાઇરલ પત્રિકા)





