750 દીકરીઓ માટે મુંબઈ સ્થિત વિમેન ફોર ચેન્જ ના પ્રેસિડેન્ટ બીજલ જગડ - થાણે ડીસ્ટ્રાઇક્ટ, મહેન્દ્રભાઈ નાગડા અને કિરીટભાઈ મોરવાડીયા તરફથી ૭૫૦ દીકરીઓ માટે કુર્તી સેટ અને 1600 સાબુનું વિતરણ કરાયું

બરૂમાળ આશ્રમ શાળામાં અભ્યાસ કરતી 750 દીકરીઓ માટે મુંબઈ સ્થિત વિમેન ફોર ચેન્જ ના પ્રેસિડેન્ટ બીજલ જગડ – થાણે ડીસ્ટ્રાઇક્ટ, મહેન્દ્રભાઈ નાગડા અને કિરીટભાઈ મોરવાડીયા તરફથી ૭૫૦ દીકરીઓ માટે કુર્તી સેટ અને 1600 સાબુ આપવામાં આવ્યા હતા. ગૃહમાતા ક્રિષ્ના બેન આનંદ વક્યત કર્યો હતો અને પવિત્ર માસ શ્રાવણ અને સાથે સોનામાં સુગંધ ૭૫ વર્ષ આઝાદી નો અમૃત મહોત્સવ આ બંને પર્વને ધ્યાનમાં રાખી આ આયોજન થયું અને સમગ્ર આશ્રમ શાળામાં સ્થાયી દીકરીઓ માટે ખૂબ જ આનંદ એન્ડ ઉમળકાની વાત છે એવું એમેણે જણાવ્યું હતું. માધ્યમિક શાળાનાં આચાર્ય શૈલેષ પટેલ પણ મુંબઈના દાતાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.

મહત્વનું છે કે મુંબઈના દાતા શ્રી ઓ દ્વારા ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ ગામોમાં સમયાંતરે સામાજિક શૈક્ષણિક આરોગ્ય લાગતી વિવિધ પ્રવૃતિઓમાં બનતી તમામ મદદ પુરી પાડવામાં આવે છે ત્યારે આજે સદગુરુ ધામ બરૂમાળ ખાતે વિધાર્થીનિઓ ને આપવામાં આવેલ ચીજ વસ્તુઓને લઈ તેમના મુખે અનેરો આનંદ અને ઉત્સાહ જોવા લાયક હતો





