
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં સરપંચના હસ્તે ધ્વજ વંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. માંડવા ગામના સરપંચે ધ્વજવંદન માટે ફ્લેગ લહેરાવતા ધ્વજ ઊંધો હોવાનું જાણ થઈ હતી. સરપંચે અને શાળાના અગ્રણીઓએ તાત્કાલિક ફ્લેગ ઉતારી સીધો કર્યા બાદ ધ્વજને સલામી આપવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગે ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થતા વલસાડ જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી.





