
વાપી ખાતે આવેલ હરિયા હોસ્પિટલમાં આજે બિહાર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 125 બોટલ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો

એન કે સિંગ બિહાર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષના જણાવ્યા મુજબ દર વર્ષે તેમના દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જોકે ગત બે વર્ષ કોરોના કાળ હોવાથી રક્તદાન શિબિર યોજાઈ નોહતી જ્યારે આ વર્ષે ફરી લોક હિત માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.તેમણે કહ્યું રક્ત એ દુકાન ઉપર મળી શકે નહીં જેથી રક્તની કિંમત લોકોએ સમજવી જોઈએ અને અન્ય ને મદદ રૂપ થવા માટે પણ રક્તદાન કરવું જોઈએ
એક યુનિટ રક્તદાન થી 3 લોકોના જીવને બચાવી શકાય છે આજે મોટી સંખ્યામાં બિહાર મીટર મંડળના સભ્યો એ હાજરી આપી રક્તદાન કર્યું હતું આજે સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યા લોકો ઉપસ્થિત રહ્યા હતા





