સિક્કિમ દારજલિંગ જમ્મુ કાશ્મીર જેવું અલ્હાદક વાતવરણ વિલ્સન હિલનું છે

વિલ્સન હિલ ખાતે શરૂ થયેલ મોન્સૂન ફેસ્ટિવલમાં નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ આજે પ્રારંભ કરાવ્યો જ્યાં સ્થાનિકોને રોજગારી માટે 14 સ્ટોલ લગવાવવામાં આવ્યા છે વિવિધ કાર્યક્રમોનું આયોજન તારીખ 13 થી 16 ઓગષ્ટ દરમ્યાન કરવામાં આવ્યું છે

ભારત દેશના ધ્વજનું સન્માન અને તેનું શુ મહત્વ છે તો તે હાલમાં જ થયેલ યુક્રેન અને રશિયાના યુદ્ધ સમયે યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓ જેઓ ત્યાં થી બહાર નીકળવા માટે ભારતીય ધ્વજનો ઉપયોગ કર્યો હતો જે જ દર્શાવી આપે છે કે ભારતીય ધ્વજ નું મહત્વ માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી સમગ્ર વિશ્વમાં તેનો ડંકો છે

વડા પ્રધાન નરેદ્ર મોદીને ટુરિઝમ પ્રત્યે વધુ ભાર મુક્યો છે હાલ માં જ નીતિ આયોગની મળેલી બેઠકમાં વડા પ્રધાને જણાવ્યું કે જો દેશનો વિકાસ કરવો હોય ઉધોગો, પ્રાકૃતિક ખેતીની સાથે સાથે પર્યટન સ્થળો પણ વિકસાવવા જોઈએ જેના લીધે સ્થાનિકોને વધુમાં વધુ રોજગારી મળી શકે
નાણાં મંત્રી કનુભાઈ કહ્યું કે મેં સિક્કિમ દરજલિંગ જમ્મુ કશ્મીરની મુલાકત કરી છે પણ જ્યારે પણ એ વિસ્તારમાં હોઉં છું તો ધરમપુર અને વિલ્સન હિલની યાદ તાજી થાય છે ત્યાં જેવું વાતવરણ માણવા 5 દિવસનો પ્રવાસ કરીને જઈએ છે ત્યારે માણવા મળે છે તો એના જેવી સુંદરતા સ્થાનિક કક્ષાએ જ મળી રહેતી હોય તો તેને વિકસાવવી જોઈએ આદિજાતિ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈએ જે રજુઆત કરી વિલ્સન હિલને વધુ વિકસાવવાની જે વાત કરી એ અમારું પણ સ્વપ્ન છે અને આપણે સાથે મળીને સાકાર કરશું ની ખાતરી આપી હતી






