ભાજપ નેતા ગુલાબ રોહિતના નેતૃત્વમાં નિકળી તિરંગા રૈલી

સેલવાસનાં નરોલી રોહિત ફળિયામાં આજે ‘ હર ઘર તિરંગા’ બુલંદ થયો હતો. દાનહ ભાજપ એસસી મોર્ચા ( ગ્રામીણ) નાં ઉપાધ્યક્ષ ગુલાબ રોહિતનાં નેતૃત્વમાં ૧૩ આગસ્ટે નરોલી રોહિત ફળિયાનાં દરેક ઘરોમાં તિરંગા ધ્વજ લહેરાવામાં આવ્યો.

ભાજપ નેતા ગુલાબ રોહિતે ફળિયામાં લોકોને તિરંગા આપ્યો હતો. ‘ હર ઘર તિરંગા’ ફહેરાવ્યા બાદ ગુલાબ રોહિતનાં નેતૃત્વમાં રોહિત ફળિયાથી મુખ્યમાર્ગ તીન ફાટક સુધી તિરંગા રૈલી નિકાળવામાં આવી. ‘ ભારત માતા કી જય’નાં સૂત્રોચ્ચાર સાથે રોહિત ફળિયાનાં સ્ત્રીઓ, પુરુષો, યુવાનો, બાળકો તિરંગા લઈ ઉત્સાહથી રૈલીમાં જોડાયા હતાં. ગુલાબ રોહિતે બધા લોકોને મિઠાઇ વહેંચી અને ‘ ગીતા તેરા અમૃત જ્ઞાન તથા’ ગીતા જ્ઞાન ‘ નામની પુસ્તકો ભેટ આપી. ગુલાબ રોહિત લોકોને દેશની આઝાદીનાં ૭૫ મું વર્ષગાંઠ અંતર્ગત યોજાઈ રહેલ આઝાદીનાં અમૃત મહોત્સવ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનાં ‘ હર ઘર તિરંગા ‘ આહ્વાન વિશે પણ માહિતી આપી હતી

ગુલાબ રોહિત કહ્યું કે દરેક ભારતીયને ૧૩ થી ૧૫ આગસ્ટ સુધી પોતાનાં ઘરે અને કાર્યસ્થલ પર તિરંગા ઝંડા લહેરાવી દેશની આઝાદીનાં ૭૫ મું વર્ષગાંઠની રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં ભાગીદાર બનવું જોઈએ.





