કપરાડામાં નદીના કોઝવે પરથી પડી જવાથી એક વ્યક્તિનું મોત થતા ઘટના સ્થળે પહોંચી પોલીસ

0
272
પનાસ દોલધા નદીના ચેકડેમ પર થી પડી જતા એક નું મોત

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં દર વર્ષે ચોમાસામાં નદી નાળા કોઝવે પર તણાઈ કે ડૂબી જવાની આકસ્મિક ઘટના બનતી હોય છે આ વર્ષમાં પહેલી ઘટના બની છે.

કપરાડા તાલુકાના પાનસ ગામના ભંડાર ફળિયા માંથી પસાર થતી દોલધા નદીના ચેકડેમ કોઝવે નજીકમાં રહેતા સતિષભાઇ ગુલાબભાઈ પટેલનું આકસ્મિક ઘટના બનતા પાણી માં મૃત હાલમાં મળી આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કોઝવે પરથી પડી જવાથી મૃત્યુ થયુ છે. કેટલાક લોકો એ કોઝવે પરથી પસાર થતી વખતે કોઈક અચાનક પડી ગયો હોવાનું જાણવા મળે છે.

આ ઘટનાની જાણ થતા સ્થાનિક યુવાનો અને અગ્રણી આગેવાનો કપરાડાના નાનાપોઢા પોલીસ મથક પહોંચી ઘટનાની જાણ કરતા પોલીસ સ્થળ પહોંચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here