Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

મોદી સાહેબ એક નજર ઇધર ભી…

On: November 19, 2022 3:47 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ચોમાસામાં સમારકામના નામે નકરી વેઠ ઉતારી ધૂળ નાખી લોકો માટે પરેશાની ઉભી કરનાર પરિયા અંબાચ કરવડ રોડ બનાવવા નું મુહરત ક્યારે આવશે ...
રોડ નહિ બને તો લોકો ચૂંટણી નો બહિષ્કાર કરશે એવી ઉઠી ચર્ચાઓ..
વાહન ચાલકો માટે પરેશાની ભર્યો માર્ગ

24 કરોડ ના ખર્ચે લોકોની સુવિધા માટે બનાવવામાં આવનાર પારડી પરિયા અંબાચ કરવડ રોડ છેલ્લા ચોમાસા થી અત્યંત બિસ્માર છે.પરંતુ મોદી સાહેબ આપ સાહેબ ના અનેક રાજકીય નેતા ઓ જાણે નેત્ર હીન બની ગયા હોય એમ આ રોડ થી રોજ બરોજ પસાર થાય છે પરંતુ કોન્ટ્રાકટર ને સુચન કરવામાં કોણ જાણે કેમ તેઓના હાથ પગ ધ્રૂજે છે જે એક રોડ સમારકામ માટે ભલામણ કરી ન શકતા હોય તો ચૂંટણી જીત્યા પછી પ્રજાના પ્રશ્નો નો શુ ઉકેલ લાવશે ..

તાજેતર માં આરોડ ઉપર ડામર રોડ જે સી બી મશીન થી ઉખાડી ફેંકી તેના ઉપર માત્ર મેટલ પાથરી દેવાઈ છે જેના કારણે આવતા જતા વાહન ચાલકો ને અસહ્ય ધૂળ નો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગ ઉપર ખુદ સાંસદ શ્રી નું ગામ આવે છે વળી આ વિસ્તાર કપરડા વિધાન સભામાં આવે છે છતાં અહીંના રાજકીય નેતા માત્ર માઇકો ઉપર રેવડી વહેંચતા કે લોલીપોપ આપવા પૂરતા સીમિત હોય એમ લાગે છે 

મોદી સાહેબ આપ પ્રજાના નાનામાં નાના પ્રશ્નો ને જાણો સમજો અને અનુભવો છો ત્યારે આપના જ સાથે કામ.કરનારા લોકો સાવ ગોકળ ગતિએ ચાલનારા અને કામ કરવામાં ઢીલાશ વાળા હોય એમ જણાઈ આવે છે 

અહીં કામ કરનારા કોન્ટ્રાકટર દવારા રોડ ઉપર ધૂળ ન ઉડે તે માટે પાણી છંટકાવ કરવા કોન્ટ્રાકટ પણ આપ્યો હોવાનું કહેવાય છે પરંતુ એકાદ દિવસ ટેન્કર આવ્યા બાદ અંબાચ ગામે આજ દિન સુધી પાણી છાંટવાના ટેન્કરો એ દર્શન દીધા નથી ..જેના કારણે અસહ્ય ધૂળ વાહનો ની અવર જવર ને કારણે ઉડી રહી છે જેના થકી વાહન ચાલકોને ગળા અને શ્વાસના રોગો વધી રહ્યા છે એલર્જીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે 

ત્યારે લોકોની માંગ છે કે પરિયા અંબાચ કરવડ રોડ દુરસ્ત કરવામાં આવે નહિ તો આગામી દિવસ માં લોકો ચૂંટણી નો બહિષ્કાર કરે તો નવાઈ નહિ ..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!