
નોકરી કોઈ પણ હોય પગારમાં કોઈ વધારો નહિ પણ બજારમાં મોંઘવારી કૂદકે કે ભૂસકે વધી જતાં 5000 ની નોકરી કરનારા ને ઉધાર લઈ ઘર ચલાવવાની આવી રહી છે નોબત
સમગ્ર દેશમાં મોંઘવારીએ એવી માઝા મૂકી છે કે,ગરીબ અને આદિવાસી પરિવારો માટે જીવન ગુજરાન ચલાવવું ખૂબ કઠિન બની ચૂક્યું છે.રોજિંદા કમાઈ ને રોજ ખાનારો વર્ગ પણ હવે મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે.એક સામાન્ય 5000 કે 10,000 રૂપિયાના વેતનમાં નોકરી કરતા લોકો માટે જીવન ગુજરાન ચલાવવું ખૂબ કઠિન બન્યું છે.પેટ્રોલ 105 રૂપિયા,ગેસ સિલિન્ડર 1000 રૂપિયા,તેલ,ના ભાવો,આસમાને,દુધના ભાવોમાં વધારો,ઘરના ભાડા,બાળકોના શિક્ષણની ફિ, ઇલેક્ટ્રિક બિલ,કઠોળ, અનાજ,તમામ ગણતરી કરીયે તો પણ ઓછામાં ઓછા 20 થી 25000 રૂપિયા હોય તો પણ ઘર ચલાવવા માટે ઓછા પડે એક છે જેમાં મધ્યમ વર્ગીય પરિવાર જે માત્ર 5000 રૂપિયાના વેતનમાં ઘર ચલાવતો હોય એવા પરિવારના મોભી એ તો ઉધાર લીધા વિના છૂટકો જ રહેતો નથી અને જો ઉધાર ન ભરાય તો એ ગળે ફાંસો લેવાનો વારો આવે એ નક્કી છે.
આમ સંવેદનશીલ સરકાર માત્ર ઉધોગપતિઓ માટે જ સંવેદનશીલ હોવાનું જણાય છે સામાન્ય પ્રજા જ્યારે પણ મોંઘવારી મુદ્દે બોલવા જાય તો વિશ્વસ્તરની વાતો કરવામાં આવે છે ત્યારે આટલી મોંઘવારી માં કોઈ પણ સામાન્ય પગાર માં જીવન ગુજરાન ચલાવવું એ લોઢા ના ચણા ચાવવા બરાબર છે ..










