પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી કોંગ્રેસ નેતા સામે બદનક્ષીનો કેસ કરશે

On: February 28, 2022 10:39 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


રૂા. 500 કરોડની જમીનના મુદ્દે વિવાદ

સહારાની જમીન ઝોનફેર મામલે માફી માંગો કાં પુરાવા આપો, નહીંતર કાયદાકીય કાર્યવાહી 

અમદાવાદ : રાજકોટ નજીક સહારા હોમ કોર્પોરેશનની 111 એકર જમીનને ઝોનફેર કરવાના પ્રકરણમાં રૂા.500 કરોડનું કૌભાંડ આચરાયુ છે તેવા કોગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી વિરૂધ્ધ આક્ષેપો કર્યા હતાં. આ મુદ્દે વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓ વિરૂધ્ધ બદનક્ષીનો કેસ કરવા નક્કી કર્યુ છે અને વકીલ મારફતે નોટિસ મોકલી છે.

રૂા.500 કરોડની જમીન કૌભાંડનો આરોપ લાગતાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોંગ્રેસના નેતાઓ સામે મેદાને પડયા છે. તેમનું કહેવુ છેકે, રાજકોટના વિકાસ માટે જમીનનો ઝોન ફેર કરવામાં આવ્યો છે. કોઇ કૌભાંડ કરાયુ નથી. સમયાંતરે સરકાર જમીન ઝોન ફેર કરતી હોય છે. આ પ્રકરણની તપાસ કરવામાં આવે તો હુ તૈયાર છુ. કોંગ્રેસે મારી રાજકીય કારર્કિદી પર દાગ લગાડવા અને રાજકીય રીતે બદનામ કરવાના પ્રયાસો કર્યા છે. 

રૂપાણીના એડવોકેટ મારફતે વિપક્ષના નેતા સુખરામ રાઠવા,ઉપનેતા શૈલેષ પરમાર અને દંડક સી.જે.ચાવડાને નોટિસ આપવામાં આવી છે જેમાં જણાવાયુ છેકે, આ પ્રકરણમાં કોંગ્રેસના નેતાઓ 15 દિવસમાં માફી માંગે નહીતર બદનક્ષીનો કેસ કરવામાં આવશે.  આ તરફ એવી ચર્ચા છેકે,ભાજપ કે સરકારે કોઇ સહયોગ  ન આપતાં ખુદ રૂપાણીએ મેદાનમાં ઉતરવુ પડયુ છે.

 સાથે સાથે કોંગ્રેસે એવો આરોપ મૂક્યો હતોકે, અમદાવાદમાં થલતેજ અને વસ્ત્રાપુરની જમીનો છુટી કરવા માટે જે તે સમયે કલેક્ટર વિક્રાંત પાંડે મુખ્યમંત્રી નિવાસસૃથાને બોલાવી મંજૂરી આપવામાં આવી હતી.

કરોડોનો વહીવટ થયાની ગંધ આવી જતાં તેમની બદલી કરી દેવાઇ હતી. અગાઉ આ જ કલેકટર રાજકોટ ફરજ બજાવી ચૂક્યા હતાં. આ કૌભાંડ અંગે વિજય રૂપાણીએ નોટિસમાં કોઇ ઉલ્લેખ કર્યો નથી. જે ચર્ચાનો વિષય બન્યો છે. આમ, વિજય રૂપાણીએ કોંગ્રેસ નેતાઓ સામે કાયદાકીય લડત લડવા બાંયો ચડાવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!