Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી કોંગ્રેસ નેતા સામે બદનક્ષીનો કેસ કરશે

On: February 28, 2022 10:39 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


રૂા. 500 કરોડની જમીનના મુદ્દે વિવાદ

સહારાની જમીન ઝોનફેર મામલે માફી માંગો કાં પુરાવા આપો, નહીંતર કાયદાકીય કાર્યવાહી 

અમદાવાદ : રાજકોટ નજીક સહારા હોમ કોર્પોરેશનની 111 એકર જમીનને ઝોનફેર કરવાના પ્રકરણમાં રૂા.500 કરોડનું કૌભાંડ આચરાયુ છે તેવા કોગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી વિરૂધ્ધ આક્ષેપો કર્યા હતાં. આ મુદ્દે વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓ વિરૂધ્ધ બદનક્ષીનો કેસ કરવા નક્કી કર્યુ છે અને વકીલ મારફતે નોટિસ મોકલી છે.

રૂા.500 કરોડની જમીન કૌભાંડનો આરોપ લાગતાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોંગ્રેસના નેતાઓ સામે મેદાને પડયા છે. તેમનું કહેવુ છેકે, રાજકોટના વિકાસ માટે જમીનનો ઝોન ફેર કરવામાં આવ્યો છે. કોઇ કૌભાંડ કરાયુ નથી. સમયાંતરે સરકાર જમીન ઝોન ફેર કરતી હોય છે. આ પ્રકરણની તપાસ કરવામાં આવે તો હુ તૈયાર છુ. કોંગ્રેસે મારી રાજકીય કારર્કિદી પર દાગ લગાડવા અને રાજકીય રીતે બદનામ કરવાના પ્રયાસો કર્યા છે. 

રૂપાણીના એડવોકેટ મારફતે વિપક્ષના નેતા સુખરામ રાઠવા,ઉપનેતા શૈલેષ પરમાર અને દંડક સી.જે.ચાવડાને નોટિસ આપવામાં આવી છે જેમાં જણાવાયુ છેકે, આ પ્રકરણમાં કોંગ્રેસના નેતાઓ 15 દિવસમાં માફી માંગે નહીતર બદનક્ષીનો કેસ કરવામાં આવશે.  આ તરફ એવી ચર્ચા છેકે,ભાજપ કે સરકારે કોઇ સહયોગ  ન આપતાં ખુદ રૂપાણીએ મેદાનમાં ઉતરવુ પડયુ છે.

 સાથે સાથે કોંગ્રેસે એવો આરોપ મૂક્યો હતોકે, અમદાવાદમાં થલતેજ અને વસ્ત્રાપુરની જમીનો છુટી કરવા માટે જે તે સમયે કલેક્ટર વિક્રાંત પાંડે મુખ્યમંત્રી નિવાસસૃથાને બોલાવી મંજૂરી આપવામાં આવી હતી.

કરોડોનો વહીવટ થયાની ગંધ આવી જતાં તેમની બદલી કરી દેવાઇ હતી. અગાઉ આ જ કલેકટર રાજકોટ ફરજ બજાવી ચૂક્યા હતાં. આ કૌભાંડ અંગે વિજય રૂપાણીએ નોટિસમાં કોઇ ઉલ્લેખ કર્યો નથી. જે ચર્ચાનો વિષય બન્યો છે. આમ, વિજય રૂપાણીએ કોંગ્રેસ નેતાઓ સામે કાયદાકીય લડત લડવા બાંયો ચડાવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!