
તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ દ્વારા પ્રાંત અધિકારી ધરમપુર ને લેખિત ફરિયાદ આપી પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવે એવી માંગ કરાઈ
ધરમપુર તાલુકામાં સસ્તા અનાજની દુકાનમાં માત્ર 50% જ ખાંડ અને દાળનો જથ્થો આવતો હોવાની ધ્યાને આવતા તાલુકા પંચાયત અપક્ષ સભ્ય અને આદિવાસી સમાજના અગ્રણી કલ્પેશ પટેલ દ્વારા પ્રાંત અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે
ધરમપુર તાલુકામાં 44,153 જેટલા કુલ રેશનકાર્ડ આવેલા છે જેમાં બે લાખ 26,725 જેટલા લાભાર્થીઓ છે આ તમામને 100 એ 100 ટકા અનાજનો જથ્થો મળે તેની દેખરેખ પુરવઠા વિભાગ અને મામલતદાર શ્રી દ્વારા રાખવાની રહે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અનાજના ગોડાઉન ઉપરથી જ અનાજનો દાળ અને ખાંડનો જથ્થો ઓછો આવતો હોવાની બૂમ ઉઠી છે. જે અંગે કેટલાક દુકાનદારોએ જણાવ્યું કે તેમને આપવામાં આવતા દાળ અને ખાંડના જથ્થામાં 50% જેટલો જથ્થો મળતો હોય છે જેના કારણે રેશનકાર્ડ ગ્રાહકો જ્યારે તેની દુકાન ઉપર લેવા આવે છે તેઓને વહેલા તે પહેલાના ધોરણે જથ્થો આપવામાં આવે છે જ્યારે પાછળથી આવનારા કેટલાક ગ્રાહકોને દાળ અને ખાંડ મળતી નથી. જે સમગ્ર બાબતે તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ ને કેટલાક વંચિત રહેલા લોકોએ મૌખિક ફરિયાદ કરી હતી જે અંગે તેમણે રાશનની દુકાન ચલાવનારા કેટલાક દુકાનદારોની મુલાકાત લીધી હતી જ્યાં દુકાનદારોએ પણ તેમને જણાવ્યું હતું કે ઉપરથી આપવામાં આવતો જથ્થો જ ઓછો આવતો હોવાને કારણે તેઓ દરેક ગ્રાહકને ન્યાય આપી શકતા નથી ત્યારે આ જથ્થો પૂરતા પ્રમાણમાં પહોંચાડવામાં આવે તે જરૂરી છે જે માટે તેમણે આજે પ્રાંત અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારના લોકો મોટાભાગે સરકારી અનાજ રેશમની દુકાનમાંથી મેળવે છે અને એવા સમયે તેમના હકનું અનાજ તો તેમને પૂરતા પ્રમાણમાં ન મળે તો તેઓને મુશ્કેલી સર્જાતી હોય છે ત્યારે આ અનાજ ક્યાં જાય છે તે પણ એક તપાસનો વિષય છે પરંતુ હાલ તો તેમણે આ સમગ્ર બાબતે લેખિતમાં રજૂઆત કરી સો ટકા જેટલું અનાજ ફાળવવામાં આવે તેવી પ્રાંત અધિકારી સમક્ષ માંગ કરી છે તને જો સો ટકા અનાજનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન ફાળવવામાં આવે તો આગામી દિવસમાં તેઓ આંદોલન પણ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે





