
વલસાડ નગર ને અડીને આવેલ ગામ ડુંગરી સ્મશાન ભૂમિ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડ – ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ વન વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે વલસાડ તાલુકા ના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ જિલ્લા સંયોજક કિરણભાઈ ભોયા, વલસાડ જિલ્લા યુવા મોરચા પ્રમુખ સનેહિલભાઈ દેસાઈ,ડુંગરી ગામ ના સરપંચ આશિતભાઈ દેસાઈ, તથા વલસાડ નગર સંયોજકો જીજ્ઞેશભાઈ પટેલ, મિતભાઈ પટેલ, ઝીલભાઈ પટેલ તથા ગામ ના સામાજિક સેવાભાવી અગ્રણીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌ એ મળીને 100 થી વધુ વૃક્ષારોપણ કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો…





