ચીંચાઈ બ્રિજ થી ચીંચાઈ ચાર રસ્તા સુધી બનેલો માર્ગ 6 મહિનામાં જ ખખડધજ બની ગયો

ચીંચાઈ પાર નદીના બ્રિજ થી ચીંચાઈ ચાર રસ્તા સુધી બનેલો માર્ગ હજુ 6 માસ થયા નથી ત્યાં તો ફરી ખાડા પડી ગયા કૉન્ટ્રાક્ટરે કરેલી કામગીરી સામે અનેક સવાલો વાહન ચાલકો પરેશાન
વલસાડ તાલુકાના ચીંચાઈ પાર નદીના બ્રિજ થી લઈ ચાર રસ્તા સુધીમાં અનેક સ્થળે ચોમાસા દરમ્યાન ખાડા પડયા હતા જેને દુરસ્ત કરવા પેચવર્ક અને રોડ કરવામાં આવ્યો હતો પરંતુ ચોમાસુ ગયું ને હજુ તો 6 માસ પણ પૂર્ણ થયા નથી ત્યાં ફરી થી આ માર્ગ જૈસે થે જેવી સ્થિતિ માં મુકાઈ ગયો છે રોડ ઉપર પાઇપ લાઈન લઈ જવા ખોદકામ અને અનેક જગ્યા ઉપર મેટલ નાખ્યા વિના ડામર પાથરી માત્ર લીપા પોતી કરી રોડ બનાવી ગયેલ કોન્ટ્રકટર મહાશય ની કામગીરી ની પોલ ઉઘાડી પડી ગઈ છે હાલ માં આરોડ ઉપર ચોમાસા દરમ્યાન જ્યાં ખાડા પડયા હતા ત્યાં ફરી થી એજ સ્થળે ખાડા ઓ પડી ચુક્યા છે ત્યારે સવાલ એ થાય છે કે શું કોન્ટ્રકટર મહાશય દ્વારા યોગ્ય ગુણવત્તા મુજબ નું કામ થયું નહિ હોય ? વળી સુપ્રીમ કોર્ટ અનુસાર જે કોન્ટ્રકટરો દ્વારા જે રોડ બનાવવામાં આવે છે તે માર્ગ ની દેખરેખ પાંચ વર્ષ સુધી રાખવાની હોય છે અહીં તો માત્ર 6 માસ ન થયા ત્યાં તો રોડ ઉપર પડેલ ખાડા ખુદ પોકાર કરી રહ્યા છે કે કોન્ટ્રકટર એ કરેલી કામગીરી સાવ નબળી છે સ્થાનિક લોકોની માંગ છે કે રોડ ફરી થી બનાવવામાં આવે નહિ તો આગામી દિવસમાં સ્થાનિકો આંદોલન કરે તો નવાઈ નહિ





