સ્વંય મંત્રીઓ આ માર્ગ ઉપરથી પસાર થાય અને જાત અનુભવ થયા પછી લોકોની મુશ્કેલી ખુદ અનુભવે અને કદાચ બ્રહ્મજ્ઞાન થાય તો શારૂ

છેલ્લા કેટલાક સમય થી ચોમાસા દરમ્યાન ચાણોદ દેગામ થઇ નાનાપોંધા ને જોડતો માર્ગ એટલી હદે બિસ્માર બન્યો છે કે એસ ટી વિભાગે આ રૂટ ઉપર થી જતી અનેક એસ ટી બસો બંધ કરી દીધી છે જેના કારણે અનેક લોકોને ચકરાવો કાપી ને જવું પડે છે જોકે અનેક વાર છાપા અને મીડિયામાં રોડ અંગે આવતા માનનીય મંત્રી શ્રી દ્વારા રોડ બનશે એવી મોટા ઉપાડે જાહેરાત તો કરી દીધી નવરાત્રી પણ પૂર્ણ થઇ વરસાદ પણ જતો રહ્યો પરંતુ આજ દિન સુધી રોડ ઉપર માત્ર ધૂળ ની ડમરી સિવાય કઈ દેખાતું નથી અને મોટા ખાડા જ બંચ્યા છે ત્યારે આવનાર દિવસમાં ઉમરગામ થી સત્તા પક્ષ બિરસા મુંડા યાત્રા નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ યાત્રાને ચાણોદ થઇ દેગામ નાનાપોઢાં સુધી લઇ જવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે
માર્ગમાં પડેલા ખાડા એટલી હદે પડી ગયા છે કે અનેક વાહન ચાલકો કોપરલી થઇ ને કવાલ થઇ ને કપરાડા તરફ જાય છે ત્યારે ભાજપના આગેવાનો અને મંત્રીઓ સાથે નીકળતી યાત્રાને ચાણોદ કરવડ થઇને નાનાપોઢાં લાવવામાં આવે જેથી સમાન્ય પ્રજા જે સમસ્યા ભોગવી રહી છે છેલ્લા ૪ માસ થી તેનો અનુભવ સ્વય એક દિવસ માટે મંત્રી સંત્રી અને તંત્રી ઓ પણ કરી શકે એટલે સ્વય અનુભૂતિ થાય તો કદાચ તેમણે બ્રહમજ્ઞાન થાય એમ છે બાકી જયારે પણ કોઈ રજૂઆત થાય રોડ અંગે ત્યારે માત્ર એક નું એક ગીત અલાપવામાં આવી રહ્યું છે કે રોડ પાસ થઇ ગયા છે બની જશે પણ….ક્યારે ક્યાં મુહરત ની રાહ જોવાય છે





