જ્ઞાનગંગા માટે 5 વાંચન કુટીર કર્યો પ્રારંભ

ધરમપુર વિસ્તારમાં આવેલા 108 ગામોમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા ઉપયોગી સાહિત્યના વાંચન માટે તેમના ગામો માંથી છેક ધરમપુર સુધી લાયબ્રેરીમાં જવાની ફરજ પડે છે ત્યારે આવા વિદ્યાર્થીઓને તેમના ગામમાં જ સાહિત્ય મળી રહે સમય અને પૈસા બંને બચે એ માટે ધરમપુરમાં સમાજિક કાર્ય કરતા રેઈન્બો વોરિયર્સ નામના ગ્રુપ દ્વારા ધરમપુર અને તેની આસપાસમાં કુલ 5 કેટલી વાંચન કુટીર ગામડે ગામડે શરૂ કરી છે જેમાં વધુ એક કુટીર લોકાર્પણ થવા જઈ રહી છે
રેઈન્બો વોરિયર્સ અને સાકાર જીવન વિકાસ ટ્રસ્ટના સહયોગ દ્વારા અત્યાર સુધીમાં ધરમપુરનાં આંતરિયાળ ગામો પૈકી આવધા, નાનીઢોલડુંગરી ,મરઘમાળ, કાકડવેરી,અને હવે નડગધરી ખાતે વાંચન કુટીર શરૂ થઈ રહી છે દરેક કુટિરમાં 1000થી વધુ પુસ્તકોનો જ્ઞાનથાળ પીરસવામાં આવ્યો છે માત્ર સ્પર્ધાત્મક પરીક્ષા નહિ પરંતુ પ્રાથમિક શાળામાં શિષ્યવૃત્તિ માટે ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે પણ સાહિત્ય ઉપલબ્ધ કરવામાં આવ્યું છે
ગ્રામીણ કક્ષાએ સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને તેમના ગામમાં જ પરીક્ષા લક્ષી સાહિત્ય ઉપલબ્ધ બને વિદ્યાર્થીઓ દેશ દુનિયાની માહિતી થી સરભર બને અને પરીક્ષાઓમાં ઉતીર્ણ થઈ ને સરકારી નોકરીઓ મેળવી શકે એવા હેતુ થી ગ્રામીણ કક્ષાના વિધાર્થીઓના લાભ આર્થે વાંચન કુટીર(લાઇબ્રેરી) શરૂ કરવામાં આવી રહી છે
સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સૌજન્ય થી નિર્મિત રેમ્બો વોરિયર્સ ધરમપુર અને ગ્રામ પંચાયત નડગધરી દ્વારા સાકાર વાંચન કુટીર નડગધરી ખાતે લોકાર્પણ કાર્યક્રમ રવિવારના રોજ યોજાશે





