ધરમપુર અપક્ષ તાલુકા પંચાયત સભ્ય વિધાર્થીને થયેલ અન્યાય સામે મેદાને 17 તારીખે વનરાજ કોલેજ માં યોજસે ધરણાં 

On: May 13, 2022 4:26 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

શિક્ષણ નું સ્તર ઊંચું આવે દેશ દુનિયા ની જાણકારી અને ઓનલાઇન શિક્ષણ મેળવી શકે વિધાર્થી એ માટે સરકાર દ્વારા કોલેજના વિધાર્થીઓ ને ટેબ્લેટ વિતરણ ની યોજના અમલ માં હતી જેમાં વર્ષ 2019 માં 800 થી વધુ વિધાર્થીઓ પાસે રૂપિયા 1000 લઈ ને રસીદ આપવામાં આવી હતી પણ આ યોજના માત્ર કાગળ ઉપર જ રહી આજ દિન સુધી પૈસા ભરનાર વિધાર્થીઓ ને ના તો ટેબ્લેટ મળ્યું કે ના પૈસા પાછા ,અનેક રજૂઆતો છતાં પણ યુનિવર્સીટી થી જ ટેબ્લેટ આવ્યા નથી ત્યારે કુવા માં હોય તો હવાડા માં આવે એવો ઘાટ થયો છે …સમગ્ર બાબતે ના તો સ્થાનિક રાજકીય અગ્રણીઓ ને ચિંતા છે કે ના સ્થાનિક ધારાસભ્ય શ્રી ને વિધાર્થીઓ એ આવતી કાલ નું ભવિષ્ય છે તેઓના હિત માં લાગુ કરેલી સરકાર ની યોજના નો અમલ કરવા માં પણ તેઓ ઊણા ઉતરી રહ્યા છે અથવા તો તેમની રજુઆત નું ઉચ્ચર કક્ષા એ કઈ ઉપજતું નથી એવી ચર્ચા જાણકારો માં ઉઠી રહી છે તો બીજી તરફ વનરાજ કોલેજ ના આચાર્ય ના જણાવ્યા મુજબ યુનિવર્સીટી માં જ હજુ ટેબ્લેટ આવ્યા નથી તો ધરમપુર ના વિધાર્થીઓ ને કેવી રીતે તેનો લાભ આપીએ આમને ટેબ્લેટ મળે એટલે અમારે વિધાર્થીઓ ને આપવાના જ છે 

જોકે થોડા દિવસ પૂર્વે આદિવાસી નેતા અને તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે આવેદન આપી ટેબ્લેટ ન મળે તો આંદોલન ની ચીમકી આપી હતી પણ કોઈ સંતોષ કારક કામગીરી ન થતા આખરે કલ્પેશ પટેલ દ્વારા આગામી તારીખ 17ના રોજ સવારે 11 વાગ્યે શાંતિ પૂર્ણ માહોલ માં ધરના કરવા ની જાહેરાત કરી છે આદિવાસી યુવકોના હિત માં અને શિક્ષણ માટે કલ્પેશ પટેલ દ્વારા વિધાર્થી ની પડખે રહી ધરણાં કરવા નું નક્કી કરી લીધું છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!