કલેક્ટર અને શિક્ષણ સચિવને કરી રજુઆત

સેલવાસ દાનહ ભાજપ એસસી મોર્ચાનાં ઉપાધ્યક્ષ ગુલાબ રોહિતએ દાનહ- દમણ-દીવમાં એસસી-એસટી પોસ્ટ મૈટ્રિક સ્કૉલરશિપનાં ફ્રી-શિપ કાર્ડ સુવિધા શરૂ કરવાની માંગ કરી છે. એસટી બાહુલ્ય દાનહનાં કલેકટરને લખેલ પત્રમાં અને શિક્ષણ સચિવને મોકલાવેલ પત્રની નકલમાં ભાજપ નેતા ગુલાબ રોહિતએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે ૨૦૨૦-૨૦૨૧ માં ફ્રી-શિપ કાર્ડ શરૂ કરેલ છે. ફ્રી-શિપ કાર્ડ ધારક એસસી-એસટી વિદ્યાર્થી કોઈ પણ ફીસ ભર્યા વગર સરકારી અને બિનસરકારી સ્કૂલો/ કૉલેજો / યુનિવર્સિટીઓમાં મફત એડમીશન લઈ શકે છે. એડમીશન થઈ ગયાં હોય તો બધી ફી પરત પાવી શકશે. દાનહ-દમણ-દીવમાં ધણાં પ્રતિભાશાળી એસસી-એસટી વિદ્યાર્થીઓ પૈસાના અભાવે સારા સ્કૂલો/કૉલેજો / યુનિવર્સિટીઓમાં ભણવા વગર રહી જાય છે. એવા ગરીબ તેજસ્વી વિદ્યાર્થીઓને ફ્રી-શિપ કાર્ડની સુવિધા મળે તો સારી ઉચ્ચ શિક્ષા મેળવી ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. પડોશી રાજ્ય ગુજરાતમાં પણ ફ્રી-શિપ કાર્ડની સુવિધા એસસી-એસટી વિદ્યાર્થીઓને ઉપલબ્ધ છે. ભાજપ નેતા ગુલાબ રોહિતએ એસસી-એસટી વિદ્યાર્થીઓનાં હિતમાં આવતાં સત્રથી ફ્રી-શિપ કાર્ડની સુવિધા શરૂ કરવાની સાથે મેડિકલ, પૈરામેડિકલ,નર્સિંગ, ઇંજીનિયરિંગ, મૈનેજમેંટ કૉલેજો, યુનિવર્સિટીઓમાં એસસી વર્ગનાં સીટો વધારવા, એસસી-એસટી-આર્થિક પછાત વિદ્યાર્થીઓને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવા કોચિંગ ક્લાસેજની સુવિધા શરૂ કરવાની વિનંતી કરે છે.





