
નર્મદા તાપી રિવર લિંક પ્રોજેકટ અંતર્ગત ધરમપુર અને કપરાડા વિસ્તારમાં હજારોની જનમેદની સાથે વિરોધ રેલી યોજ્યા બાદ ગાંધીનગરમાં પણ ગઈકાલે ભજન જનમેદની વચ્ચે કોંગ્રેસ પ્રેરિત વિરોધ રેલી યોજાઇ જોકે આગામી દિવસમાં આવી રહેલી ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ હોય કે ભાજપ બંને પક્ષે સળવળાટ શરૂ થયો છે અને ડેમ નો મુદ્દો બંને પક્ષને ચૂંટણીમાં નડી શકે એમ હોય સમાજની પડખે રહેવાના બંને પક્ષો દાવા કરી રહ્યા છે

ત્યારે ધરમપુર-કપરાડા સહિતના આદિવાસી વિસ્તારના ધારાસભ્ય નું પ્રતિનિધિમંડળ ડેમ મુદ્દે આગામી દિવસમાં દિલ્હી ખાતે પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમગ્ર બાબતથી વાકેફ કરશે જોકે આજે કપરાડાના ખૂટલી ખાતે આયોજિત એક ખેડૂતોના કાર્યક્રમ દરમિયાન સ્ટેજ ઉપરથી બોલતા પાણી પુરવઠા અને નર્મદા કલ્પસર વિભાગના મંત્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે સરકારે ૫૦૦ કરોડ રૂપિયા નાના-મોટા ચેકડેમ બનાવવા માટે નક્કી કર્યા છે વળી કેટલાક લોકો ચૂંટણી નજીક આવતા આદિવાસી સમાજના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે જેનાથી સાવધ રહેવા ચેતવણી આપી છે વળી કપરાડામાં કોઈ એવા રિવર લિંક ને લગતા મોટા ડેમ બનનાર નથી તેવું પણ તેમણે કહ્યું છે
મહત્વનું છે કે નિર્મલા સીતારમણ દ્વારા બજેટમાં નર્મદા તાપી રિવર લિંક અંગેની રજૂઆત બાદ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજ ના પટ્ટા માં હોબાળો અને વિરોધ જોવા મળ્યો છે ત્યારે ચૂંટણી નજીક આવવાની સાથે દરેક પક્ષો પોતપોતાના રોટલા શેકવા તૈયાર થઈ ચૂક્યા છે જોકે વિકટ પ્રશ્ન એ છે કે આદિવાસી સમાજની પડખે ડેમ મુદ્દે કોણ ઊભું રહેશે કારણકે આગામી દિવસમાં ધારાસભ્યનું એક પ્રતિનિધિમંડળ ડેમ બાબતે ચર્ચા કરવા અંગે અને સ્પષ્ટતા બાબતે દિલ્હી ખાતે વડાપ્રધાન મોદીને મળવા જશે એવી ચર્ચાઓ ઉઠી રહી છેજે અંગે આવતી કાલે વલસાડ ખાતે એક વિશેષ પત્રકાર પરિષદ નું આયોજન બપોરે કરવામા આવશે એવું મંત્રી જીતુભાઇ ચૌધરી એ જણાવ્યું છે





