Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

On: April 3, 2026 10:58 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ નજીક નેશનલ હાઇવે નં. ૮૪૮ પર તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૭ લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી કુલ રૂ. ૨૮ લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી, જેના પ્રમાણપત્રો કપરાડાના ધારાસભ્યના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મહેસૂલ વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મીડિયાના સહકારથી મૃતકોના પરિવારજનોને તાત્કાલિક સહાય ઉપલબ્ધ બની છે. તેમણે શોકસંતપ્ત પરિવારોને સાંત્વના પાઠવી અને બાળકોના શિક્ષણ સહિત અન્ય જરૂરી સહાય માટે હંમેશા સાથે રહેવાની ખાતરી આપી હતી.
મહેસૂલ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મૃતકદીઠ રૂ. ૪ લાખની સહાય ખાસ કિસ્સા તરીકે મંજૂર કરવામાં આવી છે. કુલ રૂ. ૨૮ લાખની રકમ તા. ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી કલેક્ટર, વલસાડના નામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેશન રોડ શાખામાં જમા કરવામાં આવી હતી. ત્યારબાદ આ રકમ ડી.બી.ટી. પદ્ધતિ દ્વારા મૃતકોના વારસદારોના ખાતામાં જમા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અકસાન્તમાં આંબાજંગલ અને આસપાસના ગામોના રહેવાસીઓના મોત થયા હતા. દેવકીબેન કિશનભાઈ ગાંગોડા, દક્ષાબેન શિવરામભાઈ માંગી, કવસીબેન ગણેશભાઈ મિશાળ, જહિરામભાઈ લાહનુભાઈ સાનકરા, જયાબેન વિનોદભાઈ રાઉત અને સુરેખાબેન નરેશભાઈ પવાર સહિતના પરિવારજનોને આ સહાય આપવામાં આવી છે.
આ પ્રસંગે તાલુકા પંચાયતના માજી પ્રમુખ હીરાબેન માહલા, તાલુકા પંચાયતના સભ્યો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક લોકોએ સરકારના આ નિર્ણયને દુખની ઘડીએ મહત્વપૂર્ણ રાહત તરીકે વખાણી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!