
ગુજરાત મહેસુલ વિભાગ દ્વારા તારીખ 1 ફેબ્રુઆરી ના રોજ ગુજરાતના કુલ 4 મામલતદારની બદલી ના ઓર્ડર થયા હતા જેમાં ધરમપુર માં ફરજ બજાવતા મામલતદાર એફ બી વસાવા ની પણ બદલી સુરત ખાતે કરવામાં આવી છે તેમને સુરત માંડવી ખાતે બદલી કરાઈ છે જ્યારે અન્ય ત્રણ મામલતદાર કચ્છ ના મામલતદાર જે એચ સિંધી ને મોરબી જ્યારે આણંદ માં મામલતદાર કે કે વાળા ને દાહોદ મુકવામાં આવ્યા છે.જ્યારે ખેંગાર કુમાર સાનિયા ને મોરબી થી માળિયા મિયાણા મુકવામાં આવ્યા છે.





