Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

થરાદના મુખ્ય માર્કેટયાર્ડથી દુધશીત કેન્દ્ર સુધી ફોરલાઈન માર્ગ બનશે

[ad_1] પાલનપુર, તા.5 બનાસકાંઠા જિલ્લાના મોટા વેપારી મથક અને હાર્દસમાં થરાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા મોટો પડકાર હતો. ત્યારે અકસ્માત જેવી ઘટનાઓ પુનઃ ન બને એ માટે થરાદની સ્વૈચ્છીક સંસ્થાઓની માંગણી અને જિલ્લા સાંસદ સભ્ય દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયમાં રજુઆત કરી હતી. જેને લઈ અંતે સરકાર દ્વારા માંગણી સ્વીકારવામાં આવતાં ૩૯.૭૪ કરોડના ખર્ચે ફોરલાઈન … Read more

ઓઢવ વોર્ડમાં રોડ પર વારંવારના ખોદકામના કારણે રહીશો પરેશાન

[ad_1] અમદાવાદ,તા.05 ફેબ્રુઆરી 2022, શનિવાર ઓઢવ વોર્ડ ઠેરઠેર ખોદકામના કારણે લોકોની હાલાકીનું કારણ બન્યું છે. મુખ્ય રોડ પર જ પાંચેક ફૂટ ઉંચા માટીના ઢગલા લોકો માટે મુસીબતના પહાડ પુરવાર થઇ રહ્યા છે. ફાયર સ્ટેશનની સામે, છોટાલાલની ચાલીવાળા રોડ પર નવરંગ સ્કૂલ પાસે તેમજ તેની સામેના રોડ પર ખોદી કઢાયેલા રોડ રહીશો માટે યાતનાસભર બન્યા છે. … Read more

સાબરમતી-ભગત કી કોઠીની બે ટ્રેનોને જોધપુર સુધી લંબાવાઇ

[ad_1] અમદાવાદ,તા.05 ફેબ્રુઆરી 2022, શનિવાર સાબરમતી-ભગત કી કોઠી  વચ્ચે દોડતી બે એક્સપ્રેસ ટ્રેનને જોધપુર સુધી લંબાવવામાં આવી છે. જેને લઇને મુસાફરોને મોટી રાહત મળી છે. ટ્રેન નં. ૧૪૮૨૦  તા.૭ ફેબુ્રઆરીથી સાબરમતી-જોધપુર એક્સપ્રેસ તરીકે ઓળખાશે. સાબમરતીથી રોજ ૭.૪૫ કલાકે ઉપડીને ૧૫.૫૦ કલાકે જોધપુર પહોંચશે. જોધપુરથી  ટ્રેન નં. ૧૪૮૧૯ દરરોજ ૧૧ઃ૧૫ કલાકે ઉપડીને ૨૦.૫ કલાકે સાબરમતી પહોંચશે.  … Read more

અમદાવાદના સાત ઝોનમાં ૨૦૫ બાકી કરદાતાની મિલકત સીલ કરાઈ

[ad_1]          અમદાવાદ,શનિવાર,5 ફેબ્રુ,2022 શહેરના સાત ઝોનમાં મિલકત વેરો ભરપાઈના કરનારા કરદાતાઓની શનિવારે વધુ ૨૦૫ મિલકત મ્યુનિ.તંત્રે વેરા વસૂલી મામલે સીલ કરી હતી. શનિવારે ૨.૪૪ કરોડની વેરા વસૂલાત કરવામાં આવી હતી.પાંચ દિવસમાં શહેરના સાત ઝોનમાં મિલકતવેરો ભરપાઈ ના કરનારા કરદાતાઓની ૧૦૯૭ મિલકત સીલ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મહિનાના આરંભથી … Read more

રાધનપુરથી સામખીયાળી વચ્ચેના કમરતોડ નેશનલ હાઈવેથી વાહનચાલકો પરેશાન

[ad_1] રાધનપુર તા.5 પાટણ જિલ્લાને અડીને પસાર થતો દિલ્હી કંડલા નેશનલ હાઈવે નંબર ૨૭ એકદમ બિસ્માર બની જવા પામ્યો છે. હાઈવે પર ઠેર-ઠેર પડેલ ખાડાને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઇવે પર પડેલા ખાડાને કારણે સર્જાતા અકસ્માતોમાં વાહનચાલકોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવે છે. બિસ્માર હાઇવેના રીપેરીંગ બાબતે નેશનલ હાઇવે ઓથોરિટીની ઉદાસીનતા … Read more

ઝાલાવાડ પંથકમાં લગ્નોની સિઝનમાં ફૂલોના ભાવમાં બમણો વધારો

[ad_1] – વસંત પંચમીએ ફુલોનો  વેપાર પૂર બહાર ખિલ્યો  – ગુલાબના ભાવ રૂ. 120 અને ગલગોટાના રૂ. 90 એ પહોંચ્યા લગ્નમાં ગાડીનો શણગારનો ખર્ચે રૂપિયા ૫ાંચ હજાર થયો  સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં લગ્નોની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે આજે વસંતપંચમીએ અનેક લગ્નો હોવાથી ફુંલોની માંગ વધી હતી અને પુષ્પોની કિંમતમાં વધારો થતા લગ્ન સમારંભોમાં ફુલોને … Read more

સુરેન્દ્રનગર શહેર-જિલ્લામાં કોરોનાના નવા 15 કેસ

[ad_1] – જિલ્લામાં એકિટવ કેસની સંખ્યા 254 પર પહોંચી ગઇ  સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં  શનિવારે ગ્રામ વિસ્તારમાં ૬ અને શહેરી વિસ્તારમાં ૯ મળીને  કુલ ૧૫ નવા કેસો આપ્યા હતા. શનિવારે ૧૮૯૭ આર.ટી.પી.સી.આર અને ૩૩૩ એન્ટીજન ટેસ્ટ સાથે કુલ ૨૨૩૦ ટેસ્ટ કરવામાં આવેલ હતા જિલ્લાના ચોટીલા, લખતર અને સાયલા તાલુકામાં ગઈકાલે એકપણ નવો કેસ આવેલ ન … Read more

કાર વહેલી અપાવવા નામે અપરણિત મહિલા વેપારીના રૂ.3.14 લાખ પડાવી લીધા

[ad_1] – જીવનસાથી.કોમ મારફતે યુવાનનો સંપર્ક થયો હતો : પિતાને કાર ગિફ્ટ આપવા માંગતી વરાછાની વેપારી યુવતી પાસે ટુકડે ટુકડે પૈસા પડાવી બાદમાં મળવાનું બંધ કરી દીધું – ગુગલ-પેથી રકમ મેળવ્યા બાદ પણ યુવતીની દુકાને આવીને અભિષેક મોટી રકમ લઈ જતો હતો : પૈસા પરત માંગ્યા ત્યારે બેંકમાં પૈસા જમા કરાવ્યાના બોગસ સ્ક્રીન શોટ મોકલ્યા … Read more

છાપરાભાઠાના ગૂમ બે સંતાનના પિતાનો નદીમાંથી મૃતદેહ મળ્યો

[ad_1] – વણઝારાવાસમાં રહેતા રતીલાલને દારુની ટેવ અને માનસિક તકલીફ હતી : નહાવા જતા ડૂબી ગયાની શક્યતા         સુરત,: અમરોલીમાં બે દિવસ પહેલા ગુમ થયેલા યુવાનની આજે સવારે અમરોલી છાપરા ભાઠા ખાતે નદી માંથી લાશ મળી આવી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ અમરોલીમાં છાપરા ભાઠામાં વણજારાવાસમાં રહેતો ૪૦ વર્ષીય રતીલાલ અંબાજીભાઇ … Read more

કાતિલ ઠંડીથી હૃદયરોગનું જોખમ કેસમા૨૦%નો ચિંતાજનક વધારો

[ad_1] અમદાવાદ, શનિવાર ગુજરાતમાં આ વખતે શિયાળામાં કાતિલ ઠંડીનું પ્રભુત્વ રહ્યું હતું અને અનેક સ્થળોએ લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે છાસવારે નોંધાયો હતો. કાતિલ ઠંડીને પગલે આ વખતે હૃદય સંબધિત સમસ્યાના પ્રમાણમાં પણ વધારો નોંધાયો હતો. શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલામાં આશરે ૨૦ ટકાનો વધારો નોંધાય છે. ખાસ કરીને વહેલી સવાર દરમિયાન કાર્ડિયોવાસ્ક્યુલરના કેસ વધારે … Read more

error: Content is protected !!