
દક્ષીણ ગુજરાતમાં માવઠાના મારે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે વલસાડી હાફૂસની ખેતી કરતા ખેડૂતો માટે આ વર્ષ ઉત્પાદન ઉપર તેની સીધી અસર પડી છે વાતવરણ વાદળ છાયું રહેવાને કારણે આંબે આવેલા ફૂલ કાળા થઈને ખરી ગયા છે
ત્રણ ફાલ માં આવેલ કેરીના પાકમાં ત્રીજો ફાલ વરસાદી માહોલને કારણે સાવ નષ્ટ થઇ ચુક્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ખેતીવાડી વિભાગ દ્વારા ૬ તાલુકામાં આંબાવાડીઓ માં નુકશાનીનું સર્વે કામ કરવામાં આવ્યું છે છેલ્લા ૪ દિવસ થી શરુ થયેલ સર્વમાં બહાર આવ્યું છે કે ત્રીજો ફાલમાં આવેલા ફૂલ ખરી જતા ઉત્પાદન આ વર્ષે ઘટી શકે છે ત્યારે ૬ તાલુકામાં કરવામાં આવેલ સર્વેનો રીપોર્ટ ખેતીવાડી વિભાગ સોમવારના રોજ રજુ કરશે
ત્યારે ખેડૂતો હવે સર્વે બાદ સરકાર વળતર આપે એવી આશા રાખીને બેઠા છે ત્યારે સર્વે રીપોર્ટ બાદ સમગ્ર હકીકત બહાર આવે એમ છે બાકી આ વર્ષે પણ કરી ના રસિયાઓ એ કેરી ખેરીડવા ખિસ્સા ઉપર વધુ બોજ પડશે





