આમ આદમી પાર્ટી માં કોણ ઉમેદવાર

ચૂંટણીની હજી જાહેરાત થઈ નથી પરંતુ તે પૂર્વે જ આમ આદમી પાર્ટી ના અરવિંદ ભાઈ કેજરીવાલ લાલ ડુંગરી મેદાન ઉપર જાહેર સભા ગજવી જતા ભાજપ ની છાવણી માં પણ જન મેદની ને જોતા સળવળાટ શરૂ થઈ ગયો છે તો આંતરિક સુત્રોની માનીએ તો ધરમપુર માં આમ આદમી ની યોજાયેલી સભા ભાજપના કાર્યકરો માટે ચિંતા નો વિષય બની ચુકી છે
તો સમગ્ર વલસાડ જિલ્લામાં માત્ર ધરમપુર વિધાનસભા જ છે જ્યાં ભાજપને ટક્કર આપવા માટે આદિવાસી ફેક્ટર સક્રિય બન્યું છે તો મજબૂત રીતે અપક્ષ પણ ટક્કર આપવા સક્રિય છે આવા સમયે ભાજપ ઉમેદવાર તરીકે કોના માટે ટીકીટ નો કળશ ઢોળશે એ અંગે ચિંતા સાથે લોકોમાં ચર્ચાનો વિષય તેજ થયો છે.કારણ કે જમીન લેવલ સાથે જોડાયેલ એવા ચેહરાને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવે જે દરેક ગામ માં પોતાની એક આગવી ઓળખ ધરાવતો હોય યુવાઓમાં લોકપ્રિય હોય વળી દરેક મુદાઓમાં લોક સમૂહની પડખે રહી સમસ્યાનું નિરાકરણ લાવી શકે જોકે અનેક એવા નામો છે જે હાલ ચર્ચામાં છે પરંતુ ભાજપની રણનીતિ રહી છે કે સમય ઉપર હમેશા મેન્ડેડ માં એવા ઉમેદવાર ના નામ જાહેર કરાય કે લોકો સ્તબ્ધ થઈ જાય જોકે આ વખતે રિપીટ થિયેરી કામ આવશે કે કેમ એ પણ વિકટ પ્રશ્ન છે
તો આમ આદમી પાર્ટી પણ ધરમપુર માં પગ પેસરો કરી ચુકી છે જેમાં કોઈ એવો નવો ચેહરો સામે લાવી શકે જે આદિવાસી સમાજમાં આગવી ઓળખ ધરાવતો હોય રાજનીતિમાં વર્ષોથી અનુભવી હોય જે ભાજપ સામે પણ ટક્કર લઈ શકે જોકે હાલ એમાં પણ ત્રણ જેટલા નામો ચર્ચામાં છે ત્યારે હવે ચૂંટણી જાહેર થતા ગીતવિધિ વધુ તેજ બનશે





