
મધ દરિયે એન્જીન ફેઈલ થઈ જતા બોટમાં પાણી ભરાવવા માંડતા અંદર સવાર તમામ લોકોમાં જીવ તાળવે ચોંટ્યા હતા જેને પગલે બોટમાં સવાર માલિકે ઇમરજન્સી કંટ્રોલ રૂમમાં કોલ કરી મદદ માંગતા કોસ્ટગાર્ડ દ્વારા 11 લોકોને બચાવી લેવાયા
નવસારી થી મુંબઈ માછીમારી કરવા જઈ રહેલી તુલસીદેવી નામની બોટમાં સવાર 11 જેટલા ખલાસીઓને દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે ડૂબી રહેલી બોટમાંથી હેમખેમ ઉગારી લીધા છે જોકે હાલ તમામ એમ કેમ છે બોટનું એન્જિન અચાનક મધદરિયે ફેલ થઈ જતા બોટમાં પાણી ભરવા માંડ્યું હતું જેને પગલે બોટમાં સવાર ખલાસીઓ દ્વારા કોસ્ટગાર્ડની મદદ મંગાઈ હતી

નવસારી થી દરિયામાં નીકળી મુંબઈ તરફ જઈ રહેલી અને માછીમારી કરવા નીકળેલી તુલસીદેવી નામની બોટ વલસાડથી 14 નોટિકલ દૂર અચાનક એન્જિન ટેલ થઈ જતા અટકી પડી હતી એન્જિન ફેલ થતાં બોટની અંદર પાણી ભરાવા માંડ્યા હતા અને તે ડૂબવાને આરે પહોંચી હતી જેને પગલે બોટમાં સવાર 11 જેટલા ખલાસીઓ તાત્કાલિક ઇમરજન્સી કોલ કરી મદદ માગી હતી જેને પગલે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા પરિસ્થિતિ ની ગંભીરતા જોતા ડી આઈ જી અમિત કુરગાવકર, સ્કોડન કામન્ડિંગ ઓફિસર દુર્ગેશ તિવારીની આગેવાની માં ચેતક 802 હેલિકોપ્ટર દ્વારા ડૂબી રહેલી બોટ પાસે પહોંચી હેલિકોપ્ટર દ્વારા ૧૧ જેટલા ખલાસીઓને હેમખેમ ઉગારી લીધા હતા ઝડપી પવન અને વરસતા ભારે વરસાદ વચ્ચે કોસ્ટગાર્ડ દ્વારા હિંમત ભેર દરિયામાં ઉતરી એક પછી એક એમ 11 લોકોને બચાવી લેવાયા છે કુલ 4 સોટેજ માં તમામનું રેસ્ક્યુ કરી દમણ લગાવવામાં આવ્યા હતા હાલ તમામ હેમખેમ હોવાનું જાણવા મળ્યું છે





