પોથી યાત્રા શ્રી ભવાની માતા મંદિર બાલચોંડીથી નીકળી કથા સ્થળે પહોંચી

દિપ પ્રાગટ્ય પરમ પૂજ્ય મહંત સ્વામી શ્રી કૈલાશપુરીજી મહારાજ (ચાંદોદ) ના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોને તેમને જણાવ્યું શિવ ભાગવત કથામાં દરોજ આવી અમૂલ્ય લાભ લેશો
ભૂવનેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શ્રીમદ્ શિવ ભાગવત કથા ’’ નુ છોટે મોરારી બાપુ વ્યાસ પીઠ પરથી કથાનું રસપાન કરાવતા જણાવ્યું કે પૂર્વજોના પુણ્ય પ્રતાપે અને શ્રી ભૂવનેશ્વર મહાદેવ ભવાની માતા હનુમાનજી જલારામ બાપાના સાનિધ્યમાં શિવ ભાગવત કથા થઈ રહી છે.શિવ એવા સમર્થ ઈશ્વર છે કે જે આપણું સૌનું કલ્યાણ જ કરે છે કે પ્રેમ કરે એને તો સૌ પ્રેમ કરે ભલું કરે એનું સૌ ભલું કરે કે નહીં પણ વેર કરે ને એનુંય ભલું કરે એને ભગવાન કહેવાય છે.સાધના કરીએ એ પણ જરૂરી નથી પણ તમે સમાજની સેવા કેટલી કરી એ મહત્વ છે. જે લોકોની સેવા કરે દેશ સેવા કરે અને દરેક પશુથી માંડીને પક્ષીની સેવા કરે ને પછી જ મારો હરિ એની પૂજા સ્વીકારે છે.

આ પવિત્ર ભૂમિ ઉપર જ આયોજન કર્યું છે કથા ઉપદેશ માટે નથી કોઈ પણ કથા સમાજને એક કરવા માટે હોય છે સમાજની એકતા વધારવામાં ભેગા થવું એ પણ જરૂરી નથી ટોળું આખું ભેગું થાય એ પણ જરૂરી નથી પણ દેશ માટે એક થવું જરૂરી છે. કથા લેવા આવ્યા ત્યારે મને કહ્યું પણ સમાજને સમજાય સમાજને ઉતરે અને સમાજનું શાસ્ત્ર હોય એવી કથા કરો આ ભાગવતજી ની કથા શિવ શંકર ભગવાનના હૃદયમાં હતી. અધિકારી કોઈપણ નિવૃત્ત થાય પછી અધિકારી શબ્દ લાગે છે અને અધિકારી કહેવાય કે નહીં નિવૃત્ત અધિકારી પણ કથાના તમે અધિકારી થાવ તો જ કથા સાંભળવામાં તમને આનંદ આવે એનો અધિકાર પ્રાપ્ત કરવો પડે છે.મહાભારત ની કથા પણ શિવના હૃદયમાં હતી દેવી ભાગવતની કથા પણ શિવના હૃદયમાંથી શાસ્ત્ર આપણા સનાતન ધર્મના વેદ સનાતન ધર્મના ઉપનિષદો અને સનાતન ધર્મના જે કીર્તન થાય છે કીર્તન એ બધું જ શિવના હૃદયમાં હતું વડીલોને મારી વિનંતી કે તમારા દીકરાઓ જો લાયક હોયતો એને આપો ઘરને ખેતીવાડી ને તમારા કારોબારને વેપારને સંભાળે એવા થઈ જાય પછી બધું કામમાં હોશિયાર હોય ત્યારે એને ચાવી આપી દેજો તમે સારું જીવું તો એટલું જ કરવું ઘરમાં વર્તન સારું રાખવું લોકો મંડપના દર્શન કરે અને ખાલી ભાગવતનો પ્રસાદ લેને તો એની બુદ્ધિ ભગવાનમાં પરવાઇ જાય છે.બીજાને જમાડશો ને તો લખેલા લેખ પણ બદલાઈ જશે માણસ ગમે એવો હોય પણ વિવેકી હોવો જોઈએ યુવાનો ખાસ બધાને વંદન કરજો વંદન કરશો તો વિકાસ થશે કઈ જાતિનો માણસ છે જાતિ મહાન નથી. ભાગવતજીની કથા કોરોના મૃત્યુ પામનાર ને મિત્રોને મુક્તિ મોક્ષ મળશે આ ભાગવતજીની કથા સાંભળવાથી દુઃખ ભુલાઈ જશે .
ગણેશભાઈ વી. પટેલ (નિવૃત્ત પોલ્યુશન અધિકારી વલસાડ) રમેશભાઈ એલ. પટેલ નિવૃત્ત તા. વિ. અધિકારી જયસુખભાઈ ડી. પટેલ (પૂર્વ અધિક કલેકટરશ્રી સુખાલ) સરપંચો, આજુબાજુ ગામના ભવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કથાના સોનેરી અવસરો
શ્રી કપિલ જન્મ : ૧૦-૦૧-૨૦૨૪ બુધવારે બપોરે ૧.૧૦ કલાકે શ્રી નરસિંહ જન્મ :- માગશર વદ-૩૦ તા. ૧૧-૦૧-૨૦૨૪ ગુરૂવારે બપોરે ૧.૧૫ કલાકે વામન જન્મ/રામ જન્મ/કૃષ્ણ જન્મ :- પોષ સુદ-૧ તા. ૧૨-૦૧-૨૦૨૪ શુક્રવારે બપોરે ૧.૩૯ કલાકે રૂદ્રમણી વિવાહ :- પોષ સુદ-૩ તા. ૧૪-૦૧-૨૦૨૪ રવિવારે બપોરે ૧.૧૫ કલાકે





