ગુજરાતના ૧૮ જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નહીં

On: February 28, 2022 9:12 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, સોમવાર

ગુજરાતમાં છેલ્લા
૨૪ કલાકમાં કોરોનાના ૧૧૭ નવા કેસ સામે આવ્યા છે જ્યારે બે વ્યક્તિના મૃત્યુ થયા છે.
આમ, ફેબુ્રઆરીના ૨૮ દિવસમાં રાજ્યમાંથી  કુલ
૬૧૯૬૯ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ હતી અને ૪૫૭ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.

છેલ્લા ૨૪ કલાકમાં
સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પોરબંદર, પાટણ, નર્મદા, મહીસાગર, જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ,
દેવભૂમિ દ્વારકા, ડાંગ, છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, ભરૃચ, અરવલ્લી, અમરેલીમાં કોરોનાનો
એકપણ નવો કેસ નોંધાયો નથી. બીજી તરફ અમદાવાદ શહેરમાં ૫૮-ગ્રામ્યમાં ૩ સાથે સૌથી વધુ
૬૧, વડોદરા શહેરમાં ૧૦-ગ્રામ્યમાં ૮ સાથે ૧૮, સુરત શહેરમાં ચાર-ગ્રામ્યમાં ૭ સાથે ૧૧,
ગાંધીનગર શહેરમાં ૪-ગ્રામ્યમાં ૨ સાથે ૬, રાજકોટ શહેરમાં ૪-ગ્રામ્યમાં ૨ સાથે ૬, આણંદ-બનાસકાંઠામાં
૩, નવસારીમાં ૨, દાહોદ-ખેડા-કચ્છ-મોરબી-પંચમહાલ-તાપી-વલસાડમાં ૧-૧ નવા કેસ નોંધાયા
હતા.

ગુજરાત માટે વધુ
રાહતની વાત એ છે કે ૨૯ ડિસેમ્બર બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક બે હજારથી નીચે ગયો
છે. હાલમાં ૧૮૨૦ એક્ટિવ કેસ છે જ્યારે ૨૨ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં
અમદાવાદ-વડોદરાથી ૧-૧ના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક ૧૦૯૩૦ છે. છેલ્લા
૨૪ કલાકમાં વધુ ૩૪૪ દર્દી સાજા થતાં રિક્વરી રેટ વધીને હવે ૯૮.૯૬% થઇ ગયો છે.

 

ગુજરાતમાં કોરોનાથી
એક મહિનામાં બદલાયેલી સ્થિતિ

કેસ        ૩૧ જાન્યુ.      ૨૮
ફેબુ્ર.

નવા        ૬,૬૭૯          ૧૧૭

મૃત્યુ           ૩૫           ૦૨

એક્ટિવ     ૮૩,૭૯૩          ૧,૮૨૦

વેન્ટિલેટર      ૨૬૫            ૨૨

રીક્વરી ૯૧.૮૮%          ૯૮.૯૬%

 

 અમદાવાદમાં ૮ દિવસ બાદ કોરોનાથી પ્રથમ મૃત્યુ ઃ નવા ૫૮ કેસ

અમદાવાદ શહેરમાં
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૮ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૮ દિવસ બાદ કોરોનાથી પ્રથમ
મૃત્યુ નોંધાયું છે. આમ, અમદાવાદ જિલ્લામાં કોરોનાના હાલ કોરોનાના ૭૩૫ એક્ટિવ કેસ છે.  અત્યારસુધી અમદાવાદ જિલ્લામાં કોરોનાથી કુલ ૩૬૧૮
વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં વધુ ૧૩૦ દર્દી
કોરોનાથી સાજા થયા છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં હાલ કોરોનાના ૧૫થી ઓછા દર્દી સારવાર
લઇ રહ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!