
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી, ગુ.રા.,ગાંધીનગર તથા અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી, સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વેઝ, ગુ.રા.ગાંધીનગર નાઓની રાહબરી હેઠળ સમગ્ર રાજયમાં એન.ડી.પી.એસ ના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓ ભવિષ્યમાં એન.ડી.પી.એસ એકટ હેઠળના ગુન્હાઓ ન કરે તે માટે તથા તેઓને જરૂરી માર્ગદર્શન મળી રહે તે હેતુથી મેન્ટોર ધ્વારા અને
સુપરવાઇઝરી અધિકારીશ્રી ધ્વારા કાઉન્સેલીંગ કરવા તથા અન્ય સંકળાયેલ આરોપીઓની માહિતી એકત્રીત કરવા અને એન.ડી.પી.એસ એકટ ની સજાની જોગવાઇ થી વાકેફ કરવા જરૂરી સુચનાઓ થયેલ.

જે અનુસંધાને શ્રી વાબાંગ ઝમીર, ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી, સુરત વિભાગ સુરત નાઓ ધ્વારા સમગ્ર સુરત રેન્જમાં એન.ડી.પી.એસ ના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ ઉપર મેન્ટોરની
નિમણુંક કરી આરોપીઓની માહિતી એકત્ર કરવા અને આરોપીઓને માદક પદાર્થની
હેરાફેરી/વેચાણ/સેવન થી થતા નુકશાન અને એન.ડી.પી.એસ એકટની સજાની જોગવાઇઓથી માહિતગાર

કરી જરૂરી કાઉન્સેલીંગ કરવા સુચનાઓ થયેલ. જે અન્વયે આજરોજ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી,
ડૉ. કરનરાજ વાઘેલા સાહેબ નાઓએ એન.ડી.પી.એસ એકટ હેઠળના ગુન્હાઓમાં સંડોવાયેલ કુલ-૩૨
આરોપીઓની પોલીસ હેડ કવાર્ટર વલસાડ, તાલીમ ભવન ખાતે મીટીંગ લઇ આરોપીઓને એન.ડી.પી.એસ
ના ગુન્હામાં સંડોવાશો તો સરકારી કામકાજ માટે ઉપયોગી પોલીસ કલીયરન્સ સર્ટી મળશે નહી અને
આવી પ્રવૃતિના કારણે જેલમાં જવાથી પરીવારની કાળજી લઇ શકાતી ન હોવાનુ અને નશા ના દુષ્પ્રભાવ
હેઠળ હત્યા, રેપ જેવા ગંભીર ગુન્હાઓ બનતા હોવાનુ અને યુવાધન બરબાદ થતુ હોવા અંગે ચર્ચા કરી
આરોપીઓને માદક પદાર્થની હેરાફેરી/વેચાણ/સેવન થી પોતાને થતા શારીરીક, આર્થિક, સામાજીક
નુકશાન બાબતે વિગતે માહિતગાર કરવામાં આવેલ સાથોસાથ નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક
સબસ્ટન્સીસ એકટ ૧૯૮૫ (એન.ડી.પી.એસ એકટ) ની વિવિધ જોગવાઇઓ અને તેની સજાની
જોગવાઇઓથી માહિતગાર કરી આરોપીઓને પોતે તથા પોતાના પરિવારને માદક પદાર્થના દુષણથી દુર
રહેવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ.
નશીલા પદાર્થની હેરાફેરી/વેચાણ/સેવન એ ગંભીર ગુન્હો છે. આપની આસપાસ આવી કોઇ
પ્રવૃતિ ચાલતી હોય તો વલસાડ જિલ્લા પોલીસને જાણ કરશો.





