
ઉદવાડા ખાતે રહેતા હળપતિ અશ્વિનભાઈ શંકરભાઇ એ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પ્રધાન મંત્રી જનધન ખાતું ખોલાવ્યું હતું એટલુંજ નહિ તેમણે પ્રધાન મંત્રી જીવન જ્યોત વીમા યીજના માં પણ પ્રીમિયમ ભર્યું હતું જોકે હાલમાં જ અશ્વિન ભાઈ નું આકસ્મિક અવસાન તારીખ 28 સપ્ટેમ્બર 2023 ના રોજ થતા તેમના પરિવાર માં શોકની લાગણી ફેલાઇ હતી જોકે સમગ્ર બાબતે પરિવાર ના સભ્યો દ્વારા ગ્રાહક સેવા કેન્દ્ર માં તપાસ કરતા તેમના પ્રધાન મંત્રી જીવન જ્યોત વીમા નો લાભ લીધો હતો જે બાદ પરિજનોએ તેમના મૃત્યુ અંગેના જરૂરી કાગળો બેંકમાં જમા કરાવતા જ અશ્વિન ભાઈના મૃત્યુ ના 9 દિવસ માં જ પરિવાર ના ખાતા માં 2 લાખ રૂપિયા જેટલી રકમ જમા થઈ જતા સમગ્ર બાબત ની જાણકારી નોમિની તેમની પત્નીને આપી હતી જે અંગે અશ્વિનભાઈ ના પત્નીને વધુ વિગતો એસ બી આઈ ના બ્રાન્ચ મેનેજર શ્રુતિ બેન અને અશોકભાઈ માલી એ જાણકારી આપી પરિવાર ને આસ્વસ્થ કર્યા હતા
પરિવારના મોભી અચાનક ચાલી જતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને આર્થિક સ્થિતિ પણ નબળી હોય પ્રધાન મંત્રી જીવન જ્યોત વીમા યોજનાની રકમ નો સીધો લાભ પરિવાર ના સભ્યો ને મળી ચુક્યો છે





