પ્રમુખ તરીકે જીવા ભાઈ આહીર અને ઉપ પ્રમુખ તરીકે ધનેશભાઈ ચૌધરીની વરણી

એસ એમ એસ એમ હાઈસ્કૂલના હાલ માં જ પ્રમુખ પદ માટેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 11 ટ્રસ્ટી મંડળના સભ્ય બિન હરીફ રહ્યા હતા આજે એમ એસ વી એસ કેળવણી મંડળના નવા પ્રમુખ માટે બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે જીવાભાઈ આહીરને પ્રમુખ પદ માટે અને ઉપ પ્રમુખ પદ માટે ધનેશભાઈ ચૌધરીનામ ઉપર સર્વે એ સંમતી જાહેર કરી હતી

એમ એસ વી એસ કેળવણી મંડળ ના નવા પ્રમુખ તરીકે જીવાભાઈ આહીર ઉપપ્રમુખ તરીકે ધનેશભાઈ ચૌધરી મંત્રી તરીકે જયેશભાઈ સોલંકી સહ મંત્રી તરીકે મેહુલ ભાઈ આહીર અને ખજાનચી તરીકે કલ્પેશભાઈ ભાનુશાલી ની વરણી કરવામાં આવી છે ત્યારે તમામ લોકોએ પ્રમુખ ઉપર પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલ તામાંમ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા .

મહત્વનું છે કે ધરમપુરના રાજા દ્વારા તે સમયે દીર્ઘદ્રષ્ટિ રાખી ને શિક્ષણ નો પાયો નાખવામાં આવ્યો હતો જે આજે પણ આવીરત પણે ચાલી રહ્યો છે જીવા ભાઈ અહિરે જણાવ્યું કે આવનારા ભવિષ્યમાં શિક્ષણ નું સ્તર ઊંચું આવે તેમજ ધરમપુર ના તમામ વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે એટલુંજ નહિ શિક્ષણ ક્ષેત્રે અત્યાધુનિક કલાસ રૂમ અને સવલતો વિદ્યાર્થીઓને મળે એ માટે તેઓ સતત કાર્યરત રહશેની પણ ખાતરી આપી હતી.





