ગોકુલ વિહાર નજીક હાઇટેનશન લાઈનમાં ધડાકો થતા 20 કબૂતર દાઝયા 4 મોત 

On: June 21, 2023 9:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી વિસ્તારમાં દુર્ઘટના નો ભોગ બનેલ અબોલ પંખીની પીડાને દૂર કરવાની દિશામાં આજે એક મહત્વનું કાર્ય થયું.

ઘટના એમ છે કે વાપીની ગોકુલ વિહાર ટાઉનશિપ વિસ્તારના સેવાભાવિ સિનિયર સિટીઝન અને રુદેય ચેરીટેબલ ટ્રસ્ટ નાં સક્રિય કાર્યકર એવા બિપીનભાઈ દેસાઇ નો ફોન સંસ્થાના ટ્રસ્ટીને આવ્યો. ગોકુલ વિહાર વિસ્તારના રહેવાસી એવા મનસુખભાઈ મોરી નાં નિવાસ્થાન પાસે હાઈટેન્શન લાઈન પાસે કોઈ કારણસર મોટો ધડાકો થયો છે અને ઘણા બધા કબૂતરોને ઈજા થઇ છે.

સ્થિતિની ગંભીરતા જોતા સંસ્થાન ટ્રસ્ટી એવા સત્યેન ભાઈ તેમજ સંસ્થાના અન્ય કાર્યકર એવા રાજુભાઈ તરત ઘટના સ્થળે પોહોચી ગયા. આશરે 20 થી 25 જેટલા કબૂતરો કરંટ લાગવાથી દાઝી ગયા હતા અને તેમની પાંખો બળીગય હતી.

આતરફ સત્યેનભાઈ પંડ્યા એ વાપી વિસ્તારની જાણીતી પશુ પંખીની સેવા કરતી સંસ્થા ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ નાં નિલેશભાઈ ને ફોન કરી સ્થિતિની ગંભીરતા જણાવી હતી. જેના પગલે નિલેશભાઈ એ તાત્કાલિક પોતાની પશુ એમ્બ્યુલન્સ ને ફોન કરી ઘટના સ્થળે બોલાવી લીધી.

20 જેટલા ઇજાગ્રસ્ત કબૂતરોને તાત્કાલિક ઘટના સ્થળેજ બેઝિક ટ્રીટમેન્ટ આપી અને તેઓએ   ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ

ના આશ્રયસ્થાન ડોગ હાઉસ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા. કમનસીબે 4 જેટલા કબૂતર અવસાન પામી ગયા હતા પણ અન્ય 20 પંખીને બચાવી લેવામાં આવ્યાં.

આમ સ્થાનિક રહીશ મનસુખભાઈ ની સમય સૂચકતા, રુદેય ટ્રસ્ટ નાં સીનીયર એવા બિપીનભાઈ ની સૂચના ને લિધે અને નિલેશભાઈ રાયચુરા ની મેડિકલ ટીમના સહકાર થી અને રુદેય ટ્રસ્ટ અને ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ  નાં સહિયારા પ્રયાસ થી અબોલ દુર્ઘટનાનો ભોગ બને પંખીઓ ને ગણત્રીની મિનિટોમાં બચાવી લેવામાં આવ્યાં.

હાલ આ બધા પક્ષી સારવાર હેઠળ ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ ના આશ્રયસ્થાન ડોગ હાઉસ ખાતે રાખેલ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!