Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધો.12ની બોર્ડ પરીક્ષામાં નોબેલ સ્કુલનું 100 ટકા પરિણામ, દૃષ્ટિ ખામીથી પીડિત પ્રિન્સે પ્રાપ્ત કર્યો એ -1 ગ્રેડ

On: June 2, 2023 6:23 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સુરત: કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ વાતને શારીરિક રીતે અક્ષમ એવા દૃષ્ટિ ખામી ધરાવતા નોબેલ પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી પ્રિન્સ ગઢિયાએ સાર્થક કરી બતાવી છે. પ્રિન્સે ધોરણ 12 કોમર્સની બોર્ડ પરીક્ષામાં એ -1 ગ્રેડ મેળવી માતા – પિતા અને શાળાનું ગૌરવ વધાર્યું છે. જ્યારે નોબેલ સ્કુલનું પરિણામ પણ શ્રેષ્ઠ રહ્યું છે. બોર્ડ પરીક્ષા આપનાર શાળાના તમામ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થયા છે. 

સામાન્ય પરિવારમાંથી આવતા પ્રિન્સના પિતા રાજેશભાઈ બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં પાથરણું લગાવી કાપડ વેચે છે અને તેઓ ભાડાના મકાનમાં રહે છે. પ્રિન્સ દૃષ્ટિ ખામીની બીમારીથી પીડાય છે. તેની એક આંખમાં 24 અને બીજીમાં 26 નંબર હોવાથી અડધા ફૂટ દૂરથી પણ તે માંડ વાંચી શકે છે. તેવામાં પ્રિન્સે આત્મવિશ્વાસ સાથે બોર્ડ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. પ્રિન્સને બ્લેક બોર્ડ પરનું લખેલું દેખાતું ન હોવાથી બાજુમાં બેસતા સહ વિદ્યાર્થીની નોટ માંથી તે લખતો હતો અને બોર્ડ પરીક્ષામાં સિદ્ધિ હાંસલ કરી પ્રિન્સે સિદ્ધ કરી બતાવ્યું કે જો આત્મવિશ્વાસ હોય અને લક્ષ્યને પામવાની ખેવના હોય તો પહાડ જેવા પડકારો પણ આસાનીથી પાર કરી શકાય છે.પ્રિન્સે દરેક વિષયના 30-30 પેપરનું રિવિઝન કર્યું હતું. પ્રિન્સનું સ્વપ્ન C.A. બનવાનું છે. સ્કૂલના સંચાલક પ્રશાંતભાઈ એ જણાવ્યું હતું કે પ્રિન્સ શરૂઆતથી નોબલ સ્કૂલમાં ભણ્યો છે અને તેને એડમિશન લીધું ત્યારથી જ તે ચેલેન્જ હતો. પણ શિક્ષકો અને સાથી વિદ્યાર્થીઓએ સતત મદદ કરતા રહ્યા. સ્કૂલના આચાર્ય આશિષભાઈએ જણાવ્યું હતું કે પ્રિન્સને જ્યારે પણ કોઈ પ્રશ્નને લઈ શંકા રહેતી ત્યારે તે શિક્ષકો પાસે બેસી જતો અને જ્યાર સીધું શંકા દૂર નહીં થાય ત્યાર સીધું તે તેની પાછળ લાગેલો રહેતો.

પ્રિન્સની સફળતા સાથે જ નોબેલ સ્કુલનું પરિણામ પણ 100 ટકા રહ્યું છે. શાળાના કુલ 39 વિદ્યાર્થીઓ કોમર્સ પ્રવાહની પરીક્ષા આપી હતી જે પૈકી બે વિદ્યાર્થીઓએ એ -1 ગ્રેડ અને 11 વિદ્યાર્થીઓએ એ -2 પ્રાપ્ત કર્યો છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!