
કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં અનેક દર્દીઓ ને સમય સર દવાખાને લઈ જઈ જીવ બચાવવા માં સંજીવની સાબિત થયેલ 108 સેવા દ્વારા વધુ એક વખત પ્રસૂતા મહિલાને એમ્બ્યુલન્સ માં જ પ્રસુતિ કરાવી નવજીવન આપ્યું છે સાથે તંદુરસ્ત બાળક ને પણ બચાવી લેવામાં આવ્યું છે
કપરાડાના માલઘર મૂળગામ ફળિયામાં રહેતી મહિલા જે ગર્ભવતી હતી જેને ગત રાત્રે 9 વાગ્યાની આસપાસ માં પ્રસૂતિનો દુખાવો થતા તુરંત સ્થાનિકો એ દવાખાને લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સ ને જાણ કરાઈ હતી જે બાદ 108 એમ્બ્યુલન્સ ના પાઇલોટ ચંદ્રકાન્ત દળવી અને ઇ એમ ટી હિરેન એ પટેલ સ્થળ ઉપર પહોંચી મહિલાને સારવાર માટે સુથારપાડા સરકારી હોસ્પિટલમાં ખસેડવા કવાયત હાથ ધરી હતી જોકે માર્ગમાં અચાનક વધુ દુખાવો થતા એમ્બ્યુલન્સ ના પાઇલોટ અને ઇ એમ ટી એ સ્થિતિને જોતા પ્રસૂતિની પીડા થી કણસતી મહિલાને એમ્બ્યુલન્સ માં જ ડીલેવરી કરાવી હતી અને પ્રસૂતા એ એક નવજાત સ્વસ્થ્ય બાળકી ને જન્મ આપ્યો હતો હાલ બાળક અને માતા સાકીબેન હીરામણ ભાઈ બન્ને ની સ્વાસ્થ્ય હોવાનું જાણવા મળી રહ્યું છે આમ એમ્બ્યુલન્સ ના ઇ એમ ટી અને પાઇલોટ ની સમય સુચકતા ને લઈ માતાએ એમ્બ્યુલન્સમાં જ સંતાનને જન્મ આપ્યો છે આમ ફરી એક વાર એમ્બ્યુલન્સ માતા માટે સંજીવની બની છે





