Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વિશ્વ પુસ્તક દિન નિમિત્તે ધરમપુરના આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન

On: April 24, 2023 1:58 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક સાહિત્યો વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવામાં આવ્યા છે

વિશ્વ પુસ્તક દિન નિમિત્તે ધરમપુરના આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન

સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક સાહિત્યો વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવામાં આવ્યા છે

વિશ્વ પુસ્તક દિન નિમિત્તે ધરમપુરના આંબાતલાટ ખાતે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના ફંડ અને સોશ્યલ ટ્રસ્ટ વલસાડના સૌજન્યથી અને RAINBOW WARRIORS DHARAMPUR, ગ્રામ પંચાયત, આંબાતલાટ અને જય બજરંગબલી યુવક મંડળ, આંબાતલાટ સંચાલિત “ઉમિયા વાંચન કુટિર”નું ઉદઘાટન કરાયું હતું. આ લાયબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના પુસ્તકો, અભ્યાસના પુસ્તકો તેમજ બીજા અનેક પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. 

  આ લાયબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો અને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે દરેક સાહિત્યો મળી રહેશે. તેમણે પુસ્તકોની શોધમાં દૂર જવાની જરૂર રહેશે નહીં તેમજ લાઈબ્રેરીમાં જ શાંતિપૂર્ણ વાતવરણમાં વાંચન પણ કરી શકશે. તેના માટેની બેઠક વ્યવસ્થા સાથે સાથે કોમ્યુટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના દ્વારા વિનામુલ્યે પરીક્ષાઓના ફોર્મ ભરી શકાશે. લાયબ્રેરી બનાવવામાં સંસ્થાઓ સાથે ગામલોકોએ પણ ખુબ જ સાથ સહકાર આપ્યો હતો.

લોકાર્પણ પ્રસંગની સાથે સાથે ગામના નિવૃત નાગરિકોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતાં તેમનો પણ સત્કાર કરવામાં આવ્યો હતો. તમામ મહેમાનોનું ફૂલછોડ આપી સ્વાગત કરાયું હતું. વક્તાઓએ પુસ્તક એક વ્યક્તિનું જીવન સાચી દિશામાં લઈ જવા અને સફળતા અપાવવા માટે સમર્થ હોય છે એમ કહ્યું હતું. આજના સમયમાં ગામો સુધી ભણતરની અનેક સુવિધાઓ મળે છે જેથી ધગશથી મહેનત કરી જીવનમાં આગળ વધવાની પ્રેરણા પણ આપી હતી.

સંચાલકોએ લાઈબ્રેરીમાં વાંચનનો લાભ લેવા માંગતા હોય કે કોઈપણ રીતે મદદરૂપ થવા માંગતા હોય તો ૯૪૨૭૧૨૦૫૨૬ પર સંપર્ક કરવા વિનંતી કરી હતી. થોડા સમયમાં જ લાયબ્રેરીમાં રજાના દિવસોએ સ્પર્ધાત્મક પરીક્ષાના વિનામૂલ્યે ક્લાસિસ પણ શરૂ કરવામાં આવશે વિદ્યાર્થીઓને સાચુ માર્ગદર્શન પણ મળશે એમ જણાવી પરીક્ષાની તૈયારી કરતા દરેક લોકોને લાભ લેવા જણાવ્યું હતું.        

કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે મોહનભાઈ પી. પટેલે ઉપસ્થિત રાહી પુસ્તકોનું વ્યક્તિના જીવનમાં શું મહત્વ છે તે સમજાવી આ લાયબ્રેરી યુવાનો અને વિદ્યાર્થીઓને ઘણી લાભદાયી બનશે એમ જણાવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં ઉમિયા સોશ્યલ ટ્રસ્ટના ટ્રસ્ટી અશોકભાઈ પટેલ, કસ્ટમ વિભાગના ચીફ એકાઉન્ટ ઓફિસર હિતેશભાઈ આર પટેલ, આંબાતલાટના સરપંચ શ્રીમતી નીરૂબેન ચૌધરી, ગામના અગ્રણીઓ, નિવૃત અધિકારીઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!