
વલસાડ તાલુકાના જૂજવા ગામે રહેતા અને વાપીના ચલા સ્થિત કોટક મહેન્દ્ર બેંકના બ્રાન્ચ હેડ (મેનેજર) ગુરૂવારે બપોર પછી પોતાના મકાનમાં પંખા સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઇને આપઘાત કરી લેતા ગામમાં ભારે ચકચાર મચી હતી. લગ્નેત્તર સંબંધમાં પતિ છેલ્લા ત્રણ માસથી ચાલી જતા ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યુ હોવાનું મનાય રહ્યું છે.વલસાડના જૂજવા ગામે કુબેર રેસિડન્સીમાં રહેતા અમરજિતસિંગના પત્ની શીવાએ ગુરૂવારે તેમના મકાનના બેડરૂમમાં પોતાના 35 વર્ષીય જેઠ કવલજિતસિંગનો મૃતદેહ પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં જોતાં હોંશ ઊંડી ગયા હતા. તેણીએ તાત્કાલિકા પતિ અમરજિતસિંગને મોબાઇલ પર જાણ કરતા તેઓ સેલવાસથી જૂજવા આવી ગયા હતા. જ્યાં પોતાના ઘરના બેડરૂમમાં મોટાભાઇ કવલજિતસિંગની પંખા સાથે ઓઢણી બાંધી તેનો એક છેડો ગળે ફાંસો ખાધેલી લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.





