
ધરમપુર હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર સ્વ.સુનીલભાઈ ભાનુભાઈ વાઢુંના પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિ ફંડમાંથી મરણોત્તર સહાય રકમ ૨લાખ અને મરણોતર સહાય રકમ ૫૦૦૦ મળી કુલ રૂપિયા ૨ લાખ ૫ હજારની સહાય તેમના કાયદાકીય વારસદાર એવા તેમના પત્ની ચંદાબેન સુનીલભાઈ વાઢુંને વલસાડ જીલ્લા હોમગાર્ડ કમાન્ડર ડો. મહેશભાઈ આચાર્યના વરદ હસ્તે સમગ્ર સ્ટાફગણની હાજરીમાં તથા ધરમપુર યુનિટના ઓફિસર કમાન્ડીગ ગોવિંદભાઈ દેવજીભાઈ ગાંવિત તથા સમગ્ર સ્ટાફ ઓફિસરના હસ્તે ઉપસ્થિતિમાં ચંદાબેનને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આમ ચાલુ ફરજ ઉપર અવસાન પામેલા હોમગાર્ડ જવાનની કર્મનિષ્ઠા અને પ્રામાણીકતા જોતા પરિવારને સહાય કરવામાં આવી છે





