
પંજાબ માં આમ આદમી પાર્ટી ની જીત થયા બાદ ગુજરાત માં પણ આમ આદમી પાર્ટી ના કાર્યકરો માં એક ઉત્સાહ નો સંચાર થયો છે ધરમપુર આમ આદમી પાર્ટી દ્વારા વિરવલ ગામે આવેલા રામ ભક્ત દિતિયા બાપા મંદિર ખાતે એક વિશેષ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ગામના આગેવાનો સાથે આપ પ્રદેશ મંત્રી ઈશ્વરભાઈ , ધરમપુર તાલુકા આપ પ્રમુખ પ્રવીણભાઈ આહીર , ધરમપુર આપ યુવા પ્રમુખ દર્શીત પટેલ ની આગેવાનીમાં આજુ બાજુ ગામના લોકો 15 થી 20 લોકોએ આપ પાર્ટી થી પ્રભાવિત થઈ આપ નો ખેસ ધારણ કર્યો હતો આમ આગામી દિવસ માં આવનાર ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા પણ કમર કસી ને સંપર્ક કામગીરી વધુ પ્રબળ બનાવવા માં આવી રહી છે










