લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાસંદશ્રી ધવલભાઈ પટેલ દ્રારા વલસાડ જીલ્લા કલેકટર શ્રી ભવ્ય વર્માને તેમજ દિલ્હી ખાતે હાઈવે ઓથોરીટી ના ઉચ્ચ અધિકારીઓને સતત સંપર્ક કરી જીલ્લાના નાગરિકોની માર્ગ સુરક્ષા અને રસ્તાની સારી સગવડતાઓ માટે મહત્વનો નિર્ણય જાહેર કરાવવામા આવ્યો.

વલસાડ જિલ્લા માંથી પસાર થતા નેશનલ હાઇવે નં. 48, 848,56 ઉપર પડેલ ખાડા ને કારણે થતા અકસ્માતો તથા મુસાફરો ને પડતી હાલાકી માટે રોડ મરામત કરવા માટે જવાબદાર કોન્ટ્રાકટર જો રોડ યોગ્ય રીતે સમયમર્યાદા મા રીપેર નહિ કરે તો અને તેને કારણે અકસ્માત થી માનવ મૃત્યુ થશે તો ભારતીય ન્યાય સંહિતા ની કલમ – ૧૦૬ મુજબ ગુનાહિત બેદરકારી ના કારણે માનવ મૃત્યુ ની ફરીયાદ અને જાહેર જનતા ને મુસાફરી માં અડચણ બદલ ભારતીય ન્યાય સંહિતા ની કલમ -૨૨૩ મુજબ ફરીયાદ દાખલ કરવા પોલીસ ને અધિકૃત કરતો હુકમ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ની કલમ – ૧૬૩ થી મળેલ સત્તા ની રૂઈએ બહાર પાડ્યો.





