વોર્ડ નંબર 3 ના કોંગ્રેસના ઉમેદવાર ગઈ કાલે બપોર થી ગુમ થઈ જતાં પરિજનો ચિંતા માં મુકાયા
સંદીપ ભાઈ રણજીત ભાઈ ગુમ થયા કે કોઈ અપહરણ કરી ગયુ કે પછી કોંગ્રેસ નો સ્ટટ ? સમગ્ર ઘટના નગરમાં ચર્ચા નો વિષય બન્યો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી હાલમાં યોજાનાર છે ત્યારે ધર્મ નગરપાલિકાના માટે છ જેટલા વોર્ડ માટે અનેક ઉમેદવારી પત્રો ભરાઈ ચૂક્યા છે વોર્ડ નંબર ત્રણમાં ઊભેલા ઉમેદવાર પૈકી કોંગ્રેસના સંદીપભાઈ રણજીતભાઈ ડભાડીયા ગઈકાલે પોતાના ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ જતા સમગ્ર બાબત રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે તેઓના પરિવારજનો હાલ તો ચિંતામાં મુકાયા છે
વોર્ડ નંબર ત્રણમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર સંદીપભાઈ રણજીતભાઈ ડભાડીયા ગઈકાલે બપોરે 2:00 વાગે પોતાના ઘરેથી નીકળી કોંગ્રેસ કાર્યાલય ઉપર આયોજિત કરવામાં આવેલી કોંગ્રેસની બેઠકમાં આવવા માટે નીકળ્યા હતા ઘરેથી નીકળ્યા બાદ તેઓ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા નહીં તે રાત્રી દરમિયાન પણ પોતે ઘરે ન પરત ફરતા પરિવારજનોએ સમગ્ર બાબતની જાણકારી કોંગ્રેસના સભ્યો તેમ જ આસપાસ ના પાડોશી અને કરી હતી. જે બાદ તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેમનો કોઈ પતો લાગ્યો નહીં જેને લઈને હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે આ રાજકીય દાવ પેજ હોઈ શકે છે કારણ કે વોર્ડ નંબર ત્રણમાં બિલ્ડર લોબી સક્રિય છે જેને લઇને પોતાના માનનીતા ઉમેદવારને વિજય બનાવવા માટે કોંગ્રેસના ઉમેદવારને ગુમ કરી દેવામાં આવ્યો હોવાનું પરિવારજનો તેમજ કોંગ્રેસીઓ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે હાલ તો હકીકત શું છે એ તો ઉમેદવાર પરત ફરે ત્યારે જ ખબર પડશે પરંતુ એક વાત અહીં ચોક્કસ છે કે નગરપાલિકાની ચૂંટણીમાં પણ રાજકીય દાવપેચો હાલ ચરમ સીમાએ પહોંચ્યા છે





