
બારોલિયા પટેલ ફળીયા માં ગત તારીખ 15 ના રોજ શાળાના શિક્ષક નવીનભાઈ પાડવી નો નિવૃત વિદાય સમારોહ જિલ્લા પંચાયત ના સભ્ય અને જિલ્લા પંચાયય વલસાડ સિંચાઈ વિભાગ ના ચેરપર્સ ન ઊર્મિલા બેન ગણેશ ભાઈ બિરારી ના અધ્યક્ષતા માં યોજાયો હતો

જેમાં આદિજાતિ યુવા મોરચાના મંત્રી ગણેશભાઈ બીરારી ગામના કાર્યકારી સરપંચ લક્ષ્મણભાઈ બિરારી સાથે સાથે નવીનભાઈ પાયલોટ ના પુત્ર તેજસભાઈ તેમજ તેમની બે દીકરી ડોક્ટર નીતલબેન તન્વી બેન તેમજ તેમના માતૃશ્રી છની ઉ.વ 86 હોવા છતા પણ હાજરી આપી હતી કાર્યક્રમ દરમ્યાન નગીનભાઈ પાડવી દ્વારા કરવામાં આવેલા અનેક કાર્યો ને તેમજ વોવિધ સ્મરણો ને તાજા કરવામાં આવ્યા હતા શાળામાં થી નિવૃત થતા શિક્ષક ની શાળા ને ખોટ પડશે એવી વાત તમામ ઉપસ્થિત રહેલા મહાનુભવો દ્વારા કરવામાં આવી હતી તેમનું નિવૃત જીવન સુખ સમૃદ્ધિ અંર તંદુરસ્તી સાથે સુખમય પરિવાર સાથે વિતે તેવી તમામ લોકો એ શુભેચ્છાઓ આપી હતી

કાર્યક્રમ દરમ્યાન નગીનભાઈ પાડવી ના સગા સંબંધી મિત્ર વર્તુળ એસ એમ સી સભ્ય ચેતનભાઈ,પૂર્વ અધ્યક્ષ હેમંત ભાઈ ,અશ્વિનભાઈ,દાતા ખુશાલભાઈ,ગામના વડીલો યુવાનો મળી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે નિવૃત થઈ રહેલા શિક્ષકે શાળા ને એક કબાટ ભેટ સ્વરૂપે આપી શાળા પ્રત્યે નું પોતાનું ઋણ અદા કર્યું હતું કાર્યક્રમ માં મોટી સંખ્યા માં લોકોએ હાજરી આપી હતી