
ભારતીય રિઝર્વ બેંકના અંતર્ગત નોટ જમા કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી પરંતુ અંતિમ ઘડીએ rbi દ્વારા એક પ્રેસ નોટ બહાર પાડી ફરીથી 2000 ની નોટ જમા કરાવવાની તારીખમાં અને અવધિમાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે લોકો માટે હાલ તો રાહતના સમાચાર છે rbi દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસ નોટ અનુસાર અત્યાર સુધીમાં બેંકો પાસેથી મળેલા ડેટા અનુસાર, 19 મે, 2023ના રોજ ચલણમાં રહેલી ₹2000ની નોટની કુલ ₹3.56 લાખ કરોડની કિંમતમાંથી, ₹3.42 લાખ કરોડ પાછા મળ્યા છે, જ્યારે બંધ થયા પછી માત્ર ₹0.14 લાખ કરોડ ચલણમાં છે. 29 સપ્ટેમ્બર, 2023 ના રોજનો વ્યવસાય. આમ, 19 મે, 2023 ના રોજ ચલણમાં રહેલી ₹2000 ની નોટોમાંથી 96% પરત કરવામાં આવી છે.
ત્યારે હાલ તો 30 તારીખ છેલ્લી તારીખ 2000 નોટની જમા કરાવવાનું અગાઉ જાહેર થયું હતું પરંતુ હવે તેની અવધિમાં વધારો કરાયો છે જે આગામી તારીખ 7 ઓક્ટોબર સુધી લોકો વિવિધ બેન્કોમાં જમા કરાવી શકશે





