અમેરિકાના રહેવાસી ડૉ . હિતેનભાઈ ભૂતા સાહેબ ગામડું અને ગામનાલોકો પણ શિક્ષણક્ષેત્રે આગળ આવે એવા શુભ હેતુથી દાન આપતા અને એમના હેતુને સાર્થક કરતું રેઈન્બો વોરિયર્સ ગૃપ ધરમપુરના સ્થાપક શંકરભાઇ , શિક્ષકો અને યુવાનોની ટીમ દ્વારા આ ચોથી વાંચન કુટીર શરૂ કરવામાં આવી

આજ રોજ સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ , રેઈન્બો વોરિયર્સ ગૃપ ધરમપુર અને ગ્રામ પંચાયત કાકડવેરીના સંયુક્ત ઉપક્રમે ડૉ . ઇન્તેખાબ અન્સારી સાહેબના હસ્થે સાકાર વાંચન કુટિરનું ખેરગામ તાલુકાના શિક્ષણક્ષેત્રે આગળ પડતાં ગામ કાકડવેરીમાં લોકાર્પણ થયું . અમેરિકાના રહેવાસી ડૉ . હિતેનભાઈ ભૂતા સાહેબ ગામડું અને ગામનાલોકો પણ શિક્ષણક્ષેત્રે આગળ આવે એવા શુભ હેતુથી દાન આપતા અને એમના હેતુને સાર્થક કરતું રેઈન્બો વોરિયર્સ ગૃપ ધરમપુરના સ્થાપક શંકરભાઇ , શિક્ષકો અને યુવાનોની ટીમ દ્વારા આ ચોથી વાંચન કુટીર શરૂ કરવામાં આવી . આ પ્રસંગે ડૉ . ઈંતેખાબ અંસારી દ્વારા પુસ્તકાલયનો જીવન વિકાસમાં ભૂમિકા વિશે રસપ્રદ માહિતી આપી હતી . તેમણે જણાવ્યું હતું કે ” શરીર અને મનની તંદુરસ્તી માટે જેમ બે ટંક ખોરાકની આવશ્યકતા છે તેમ પુસ્તકોનું પણ મહત્વ રહેલું છે ” . આ પ્રસંગે ડૉ.બિપિનભાઈ પટેલ દ્વારા ” શાળા એ ગામનું ઘરેણું છે અને પુસ્તકાલય પણ ગામનું ઘરેણું છે ” એમ જણાવવામાં આવ્યું હતું . પુસ્તકાલયનો ગામના બાળકો , તેમજ GPSC / UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને વાંચન કરવા ભલામણ કરી હતી . ખાસ બાબત એ હતી કે આ પ્રસંગે કાકડવેરી ગામના સરપંચ નરેશભાઈ પટેલ , કાકડવેરી જિલ્લા પંચાયતના સભ્ય સુમિત્રાબેન ગરાસિયા , પૂર્વ સરપંચ રમણભાઈ , તોરણવેરા ના સરપંચ સુનિલભાઇ ગામના નિવૃત અધિકારી અરવિંદભાઈ ગરાસિયા , ખારવેલ સરપંચ રાજેશભાઈ , મૃગમાળ ગામના સરપંચ રજનીભાઇ પટેલ ઉપસ્થિત રહયા હતા . વતનની માટીનું ઋણ ચૂકવવા ગામના જાગૃત શિક્ષકો હાજર રહી પુસ્તકાલયને જીવંત અને પ્રવૃતિમય રાખવાનો ધ્યેય નિર્ધાર કર્યો હતો . સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ડૉ . વીરેન્દ્ર ગરાસિયા અને રેઈન્બો વોરિયર્સ ગૃપ ધરમપુરના તમામ સભ્યોનું બહુમૂલ્ય યોગદાન રહ્યું હતું .





