હાલમાં પંજાબ ખાતે યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નો ભવ્ય વિજય થતાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ પોતાની સરકાર બનાવી છે આમ આદમી પાર્ટીના વિજયને લઇને ઠેરઠેર ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને સભ્યો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે જે પૈકી વિજય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા કપરાડા તાલુકા મથક ખાતે વિજય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સભ્યો અને હોદ્દેદારો તેમજ પ્રદેશ મંત્રી સહિત પ્રમુખ પણ જોડાયા હતા નાનાપોઢા સર્કલ ખાતેથી નીકળેલી વિજય તિરંગા યાત્રા કપરાડા તાલુકાના છેવાડાના ગામ સૂથારપાડા સુધી પહોંચી હતી અને વિવિધ સ્થળે ઊભા રહી આમ આદમી પાર્ટીના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આ રેલીમાં પ્રદેશ મંત્રી ઇશ્વરભાઇ પટેલ વલસાડ જિલ્લા પ્રમુખ જીતુભાઇ દેસાઈ ધરમપુર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રવીણ ભાઈ આહીર ,ધરમપુર,વિધાન સભા પ્રભારી હિતેશ ભાઈ મુરાની , કપરાડા તાલુકા તાલુકા પ્રમુખ રાજેશ ભાઈ રાઉત ,કપરાડા વિધાન સભા પ્રભારી વિનોદ ભાઈ પટેલ,વલસાડ તાલુકા વિધાનસભા પ્રભારી નિમેષ સોલંકી,મીડિયા ઇન્ચાર્જ વસીમ બેલીમ તેમજ મનાલા ગામ માં સરપંચ જ્યેન્દ્ર ગાંવીત જોડાયા હતા
આમ આદમી પાર્ટી દ્વારા કપરાડામાં વિજય ત્રિરંગા યાત્રા નીકળી
By Khabar dar
On: March 31, 2022 12:36 PM










