Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

On: April 21, 2026 9:52 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી શહેરના ગીતા નગર વિસ્તારમાં રેલવે સ્ટેશન ટિકિટ બારી સામે આવેલી બિલ્ડિંગ નજીક પીવાના પાણીની પાઈપલાઈન તૂટી જતાં સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે. પાઈપલાઈનમાંથી ભારે પ્રમાણમાં પાણી વહેતા મુખ્ય રસ્તા પર પાણી પાણી થઈ ગયું હતું, જેના કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


પાઈપલાઈન તૂટવાના કારણે પાણી નજીક આવેલા રેલવેના જૂના અંડરબ્રિજમાં પણ ભરાઈ ગયું હતું. અંદાજે એક ફૂટથી વધુ પાણી ભરાતા અંડરબ્રિજમાંથી પસાર થનારા વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક વાહનચાલકોને પાણી ભરાયેલા રસ્તામાંથી પસાર થવામાં જોખમ ઉભું થયું હતું.
વાપી મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલા નવા આર.સી.સી. રોડ પર પાણી વહેતા માર્ગ પલળી ગયો હતો. જેના કારણે અનેક બાઈક અને મોપેડ ચાલકો સ્લિપ થવાના બનાવો બન્યા હતા. સદનસીબે મોટા અકસ્માતો ટળ્યા હતા, પરંતુ કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે.


આ ઘટનાને લઈ સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો છે. લોકો દ્વારા તાત્કાલિક પાઈપલાઈનની મરામત કરી પાણીના વહેવટને નિયંત્રિત કરવાની માંગ કરવામાં આવી છે. તેમજ અંડરબ્રિજમાં ભરાયેલા પાણીની ઝડપથી નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી આવનજાવન ફરીથી સામાન્ય થઈ શકે.
આ ઘટના બાદ વાપી મહાનગરપાલિકાની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. નવા બનાવેલા રોડ પર જ આવી પરિસ્થિતિ સર્જાતા નાગરિકો દ્વારા ગુણવત્તા અને જાળવણી અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ સમસ્યાનો કેટલા ઝડપથી ઉકેલ લાવે છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!